કેશોદમાં મુસ્લિમ આગેવાનોએ પીએસઆઇ સમક્ષ લેખિતમાં ફરીયાદ કરી

0

બે દિવસ પહેલા કેશોદમાં બસ સ્ટેશન રોડ ઉપર રેકડી ધારકો સાથે અન્ય બે વ્યક્તિઓ વચ્ચે સામસામી મારા મારીનો બનાવ બન્યો હતો. જે બનાવ અંગે રેકડી ધારકો વિષય ફરીયાદ થયેલી ત્યારબાદ કરણી સેના દ્વારા રેલી યોજવામાં આવી હતી. જે બનાવ અંગે મુસ્લિમ આગેવાનોએ પીએસઆઇ સમક્ષ લેખિતમાં ફરીયાદ નોંધાવી છે. કેશોદમાં બનેલ ઘટના બાબતે લેખિતમાં પોલીસને ફરિયાદ કરવામાં આવેલ હતી જેના અંતર્ગત મુસ્લિમ સમાજના નાના વર્ગના લોકોને નુકશાન પહોંચાડેલ, સમાજ અને ધર્મ વિષે લાગણી દુભાય તેવા પ્રયત્નો કરવા વાળા સામે કડક પગલા લેવામાં આવે તે માંગ સાથે લેખિતમાં ફરિયાદ કરવા આવી છે. કેશોદ પીએસઆઈને લેખીતમાં ફરીયાદ સમયે મુસ્લિમ સમાજ કેશોદના પ્રમુખ-ઇશાભાઈ દાતારી, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ ફકીર સમાજના પ્રમુખ ઇરફાનશાહ સોહરવર્દી, ઓલ ગુજરાત મુસ્લિમ મંચ જૂનાગઢ જિલ્લા પ્રમુખ અલીભાઈ સાંધ, ઓલ ગુજરાત મુસ્લિમ મંચ ગુજરાત પ્રદેશ મંત્રી અબ્દુલકાદિર મીર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કેશોદ પોલીસ સ્ટેશને પીએસઆઇને લેખીતમાં ફરીયાદ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!