સુત્રાપાડા તાલુકામાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જાેડાયા

0

છ ટર્મથી મહિલાઓ શાસીત વેરાવળ તાલુકાની બાદલપરા ગ્રામ પંચાયતના યજમાન પદે સુત્રાપાડા તાલુકાના નવા વરાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ગ્રામ પંચાયતોમાં ચુંટાયેલા સરપંચ અને સભ્યોનું વિશિષ્ટ સન્માન કર્યુ હતુ. કોંગ્રેસ પ્રેરિત સરપંચોના સન્માન સમારોહમાં સુત્રાપાડા તાલુકાના ૨૦ થી વધુ ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહયા હતા. આ સમારોહમાં સુત્રાપાડા તાલુકામાંથી ભાજપના સેંકડો કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા કોંગી અગ્રણીઓએ પક્ષમાં આવકાર્યા હતા.આ તકે તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ગીર સોમનાથમાં આકાર પામી રહેલ કોમર્શીયલ રેલ્વે લાઇનને લઇને કહેલ કે, સરકાર ધારે તો અનેક ખેડુતો જમીન વિહોણા થતા અટકી શકે ગીરમાંથી પસાર થતી મીટર ગેજને બ્રોડગેજમાં રૂપાંતરીત કરવામાં આવે તો ખેડુતોની જમીન બચી જાય એટલુ જ નહી રેલ્વે લાઇનનો વિરોધ કરી રહેલા અનેક ગામોના સરપંચો અને લોકો દિલ્લી સુધી રજુઆત કરવાના છે. જેમાં અમે સાથે રહીને રજુઆત કરીશુ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!