ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઇમરાન પંજા દ્વારા વેરાવળમાં રોડ બનાવવા રજુઆત

0

ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઇમરાન પંજા (જમાદાર) અને ટીમ દ્વારા નગરપાલિકા પ્રમુખને ૮૦ ફુટ રોડ રેલ્વે ફાટકથી સોમનાથ ટોકીઝ સુધીનું તથા કેરમાની આઈસ ફેકટરીથી સોમનાથ ટોકીઝનો રોડ તાત્કાલિક ધોરણે બનાવવા માટે લેખિત રજૂઆત કરેલ છે. વેરાવળ શહેર ભાજપ લઘુમતી પ્રમુખ ઈમરાન જમાદાર, કાસમ ભાડેલા, હનિફ સખીયાણી, જીશાન બ્લોચ, આઝમ પોઠીયાવાલા, ઈરફાન મૂલ્લા, મન્સુર બાપુ, હાસમ મુસાગરા, સતાર કોહીનૂર સહીતનાઓએ લેખીત રજુઆત કરેલ અને આ બે શહેરના મુખ્ય માર્ગોની દુર્દશા જણાવેલ હતી,  નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ તાત્કાલિક આ રોડ રસ્તાની ગંભીરતા ધ્યાને લઇ ૧૦ થી ૧૨ દિવસમાં આ રોડનું કામ ચાલુ કરાવી દેવામાં આવશે તેવો ભરોસો લઘુમતી મોરચાની ટીમને આપેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!