જૂનાગઢમાં વધુ ૩૩ અને વંથલીમાં એક સાથે ૭ કોરોનાનાં કેસો

0

જૂનાગઢ શહેરમાં અને જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકો તકેદારી રાખતા ન હોવાનું આ પરીણામ છે તેવું પ્રાથમિક અનુમાન છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ શહેરની વાત કરીએ તો વધુ ૩૩ કોરોનાનાં કેસો નોંધાયા છે. જયારે વંથલીમાં પણ કોરોનાનાં ૭ કેસો નોંધાતા જીલ્લાનો ટોટલ આંકડો ૪૪ થયો છે. જૂનાગઢ શહેરમાંથી સંક્રમિત થનાર પૈકી ૧૦ ટકા લોકો બીજીવાર કોરોનાનો ભોગ બન્યા છે. સંક્રમિત થનાર તમામને હોમઆઈસોલેટ કરવામાં આવેલ છે. આ અંગે વધુ મળતી વિગત અનુસાર જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ૭ ડિસેમ્બરથી કોરોનાએ એન્ટ્રી કરી છે. આમ, જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત કેશોદથી થઇ છે. જાેકે, તેમ છત્તાં હાલની સ્થિતી એ છે કે સમગ્ર જિલ્લાની સરખામણીએ જૂનાગઢ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય લગાતાર કેસ વધી રહ્યા છે. આમ, જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ સિટી કોરોનાનું એપી સેન્ટર બનશે તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે. સોમવારે જૂનાગઢ સીટીમાં ૩૩ જયારે જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા છે. જાેકે, આરોગ્ય વિભાગે કોરોના સામે રામબાણ ઇલાજ સમી વેક્સિનની કામગીરી વેગવંતી કરી હતી. પરિણામે બંને રસીના ડોઝની કામગીરી પણ ૧૦૦ ટકા થઇ ગઇ છે. આનું પરિણામ એ આવશે કે, ત્રીજી લહેર કોરોનાની બીજી લહેર જેવી ઘાતક નહી બને. આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે, બીજી લહેર ધીમી પડી અને લગભગ સમાપ્તિના આરે પહોંચી હતી ત્યારે પણ આરોગ્ય કર્મીઓ પગવાળીને બેઠા ન હતા. સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખીને કોરોના વેક્સિનની કામગીરી ફૂલ સ્પિડે ઉપાડી હતી. શહેર, ગ્રામ્યમાં ક્યાંય પણ કોઇ પણ વ્યક્તિ રસીથી વંચિત ન રહી ન જાય તે માટે સતત વેક્સિનેશનની કામગીરી જારી રાખી હતી. પરિણામ એ આવ્યું કે પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ હતી. ત્યાર બાદ બીજા ડોઝનું ટાર્ગેટ પૂર્ણ કરવા કામગીરી જારી રાખી હતી. પરિણામે બીજા ડોઝની કામગીરી પણ ૧૦૦ ટકા સંપન્ન થઇ છે. આમ, બંને ડોઝની કામગીરી ૧૦૦ ટકા થઇ હોય કોરોના સામેની લડતમાં લોકોને આસાની રહેશેે. દરમ્યાન ખાસ કરીને હાલ જે લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે તેમાંથી ૯૦ ટકા લોકો વેક્સિનના બંને ડોઝ લેનાર છે. જાેકે, વેક્સિનની અસર એ રહી છે કે બંને રસીના ડોઝ લેનારની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો છે. પરિણામે એક વખત કોરોના સંક્રમિત થયેલા લોકોમાંથી બીજી વખત કોરોના સંક્રમિત થનારની સંખ્યા માત્ર ૧૦ ટકા જ રહી છે. કોરોના રસીના બંને ડોઝ લેનાર જાે કોરોના સંક્રમિત થાય તો પણ ભાગ્યે જ હોસ્પિટલાઇઝ કરવાની સ્થિતી આવે છે. બાકી મોટાભાગના લોકો હોમ આઇસોલેશન હોય છે. પરિણામે હોસ્પિટલ સુધી દોડવું નથી પડતું. અગાઉ કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમિતની સ્થિતી વધુ નાજુક રહેતી હતી. મોટાભાગના દર્દીને ઓક્સિજન કે વેન્ટીલેટરની જરૂર પડતી હતી. જાેકે, રસીના બંને ડોઝ લેનાર જે પણ સંક્રમિત થયા છે તેની સ્થિતી અગાઉ જેવી ગંભીર નથી. સાવ સામાન્ય સ્થિતીમાં રહે છે. હાલ જે લોકો બીજી વખત કોરોના સંક્રમિત થઇ રહ્યા છે કે, રસીના બંને ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે તેવા દર્દીની રિકવરી પણ ઝડપથી થઇ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!