ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની અંબે માતાજીનો પ્રાગટયોત્સવ સાદાઈથી સોમવારે યોજાશે

0

સોરઠનાં પ્રભાસ ક્ષેત્રે ગરવા ગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન માતા અંબાજીનો પોષી પૂનમ એટલે કે જગતજનની માં અંબાજી માતાનો પ્રાગટય દિવસ એટલે કે માતાજીનો જન્મ દિવસ તા. ૧૭-૧-ર૦રરને સોમવારે સાદાઈથી ઉજવવા પર્વતોનાં પ્રપિતામહ એવા ગરવા ગઢ ગિનારનાં પાંચ હજાર પગથીયા ઉપર બિરાજમાન માતા અંબાજીનાં પ્રાચીન નીજ મંદિરમાં બીરાજમાન માં અંબાજીનાં પ્રાગટય મહોત્સવે મંદિરનાં મહંત મોટા પીરબાવા તનસુખગીરી બાપુ, નાના પીરજી મહંત ગણપતગીરી બાપુની નિશ્રામાં હજારો માઈભકતોની હાજરીમાં માતાજીને શ્રીંગાર સાથે શ્રીસુકતના પાઠ, હોમહવન, ગંગાજળ દુધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદિરનાં શિખર ઉપર ધજા ચડાવાશે. બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ પીરસાશે. સવારનાં ૭ કલાકથી બપોરનાં ર કલાક સુધી માતાજીનો પ્રાગટયોત્સવ કોરોના ગાઈડલાઈન મુજબ ઉજવવામાં આવશે. આ મહોત્સવ અંગેની વિસ્તૃત ચર્ચા કરતા મંદિરનાં મહંત તનસુખગીરી બાપુએ જણાવેલ હતું કે, માતાજીની કુલ (પર) શકિતપીઠો પૈકીની ગિરનાર પર્વત ઉપરની આ શકિતપીઠ ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. અહીં માતાજીનાં ઉદર (પેટ)નો ભાગ પડેલો હોય, જેથી ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. ઓણસાલ માતાજીનો મહોત્સવ કોરોના મહામારીને ધ્યાને રાખી સાદાઈથી ઉજવવા અને સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવવામાં આવશે. પુરાણ કથામાં ઉલ્લેખ છે તે મુજબ પ્રજાપતિ દક્ષે ‘બ્રહ્મસ્પતિસઠ’ નામનાં એક મહાયજ્ઞનું આયોજન કરેલ હતું. જેમાં પ્રજાપતિ દક્ષ રાજાએ બધા દેવોને આમંત્રિત કરેલ હતાં. એક માત્ર પોતાનાં જમાઈ શિવજીને આમંત્રણ ન આપતા સતી પાર્વતીજીએ પિતાને ત્યાં આવડો મોટો યજ્ઞ થઈ રહયો હોય, તેમાં મારા પતિ શંકરને આમંત્રણ નથી તેમ છતાં માતા પાર્વતીજીએ યજ્ઞમાં જવા ભગવાન શિવજીની મનાઈ હોવા છતાં માતાજી પહોંચી ગયા હતાં. અને પિતા દ્વારા પોતાનાં પતિની નિંદા સહન ન થતાં અત્યંત દુઃખી થયેલા માતા પાર્વતીજીએ યજ્ઞકુંડમાં પડી જઈ પોતાનો દેહ ત્યજી દીધો હતો. જે વાતની ભગવાન શિવને જાણ થતાં, શિવજીએ સતી પાર્વતીનાં નિશ્ચેતન દેહને ખંભે ઉંચકી તાંડવ કરવાનું શરૂ કરી દેતા સૌ કોઈ દેવો ડરી ગયા હતાં અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન તમે જ કાંઈ કરો, નહીં તો સમગ્ર સૃષ્ટીનો સર્વનાશ થઈ જશે, ત્યારે ભગવાન વિષ્ણુએ ચક્ર દ્વારા દેવીનાં શરીરનાં બાવન ટુકડા કરી, ટુકડા જયાં પડયા તે સ્થળે માતાજીની શકિતપીઠો નિર્માણ પામી હતી. જેમાંની એક શકિતપીઠ ગિરનાર પર્વત ઉપર માતા અંબાજીની ઉદયન પીઠ તરીકે ઓળખાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!