વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ  મેરામણભાઇ ડોડીયાને જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં સારંગપુરથી શોધી કાઢયા

0

અરજદાર રાજેશભાઇ ડોડીયા ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમના પરીવાર સાથે રહેતા હોય અને તા.૪-૨-૨રના રોજ તેમના પિતા ઘરેથી કોઇને કહ્યા વિના જતા રહેલ. તેઓ મોબાઇલ ફોન પણ રાખતા ન હતા આજુબાજુ તપાસ કર્યા બાદ પણ કોઇ પતો ના લાગતા તે અને તેમનો પરીવાર ખૂબ ચીંતામાં સરી પડી ગયા હતા, તે સમય દરમ્યાન તેમના કોઇ સંબંધી દ્વારા ફક્ત એટલી માહિતી મળેલ કે મેરામણભાઇ સાંજે ૫ વાગ્યે જૂનાગઢ બસ સ્ટેન્ડ બાજુ જાેવા મળેલ હતા. રાજેશભાઇ રાત્રે ૧૧ વાગ્યે તાત્કાલીક જૂનાગઢ ખાતે આવી અને આ બાબતની જાણ જૂનાગઢ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા દ્વારા ગુમ થયેલ મેરામણભાઇને શોધવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે જૂનાગઢ હેડ ક્વાર્ટર ડીવાયએસપી આર.વી. ડામોરના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ. પી.એચ. મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કો. ચેતનભાઇ સોલંકી, સંજય સિંહ રાઠોડ, ચેતનસિંહ સોલંકી, એન્જી. કપીલ ઘુસર, રીયાઝ અંસારી  સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સીસીટીવી કેમેરામાં મેરામણભાઇ સાંજે ૫ઃ૩૦ વાગ્યે બસ સ્ટેન્ડ બહાર જાેવા મળેલ હતા. મેરામણભાઇ કોઇ અન્ય જગ્યાએ જવા સારૂ ઇકો ફોર વ્હીલમાં બેસતા હોવાનું સીસીટીવી કેમેરામાંં નજરે પડેલ હતા. તે સીસીટીવી ફૂટેજ આધારે ઇકો ફોર વ્હીલના નંબર જીજે-૧૧-બીઆર-૯૭૦૪ શોધી કાઢવામાં આવેલ હતા. પી.એસ.આઇ. પી.એચ. મશરૂ દ્વારા ઇકો ફોર વ્હીલ ચાલકનો સંપર્ક કરતા જણાવેલ કે, તેઓએ મેરામણભાઇને રાજકોટ સુધી પેસેન્જર તરીકે બેસાડેલ હતા અને રાત્રે ૮ વાગ્યે તે રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે ઉતરી ગયેલ હતા. ઇકો ફોરવ્હીલ ચાલક સાથે વધુ વાતચીત કરતા જણાવેલ કે, મેરામણભાઇ દ્વારા સારંગપુર જવા માટે વાહન ક્યાથી મળશે તેવી પૂછપરછ કરેલ હતી.  પી.એસ.આઇ. પી.એચ. મશરૂ અને તેમની ટીમને અથાગ મહેનતના અંતે તે કડી મળેલ હતી. તેના આધારે તેમનો પરીવાર તાત્કાલિક મેરામણભાઇ પહોંચે તે પહેલા સારંગપુર પહોંચી ગયો અને સવારે ૭ વાગ્યે મેરામણભાઇનો ભેટો તેમના પરીવાર સાથે સારંગપુર મંદિરમાં જ થઇ ગયેલ અને ભરત મીલાપના દ્રશ્યો સર્જાયેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાના ઘરના મોભી વ્યક્તિને ગણતરીની કલાકોમાં સહિ સલામત શોધી આપવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને રાજેશભાઇ અને તેમના પરીવારે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગુમ થયેલ વ્યક્તિને ગણતરીની કલાકોમાં શોધી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!