માછીમારોને દરિયાઈ પ્રદૂષણ અટકાવવા અને ચૂંટણીમાં મતદાન કરવા જાગૃત કરાયા

0

આઝાદી કા અમૃત મહોત્સવ અને ૭૬માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે કલેકટર રચિત રાજ દ્વારા માંગરોળ બંદરે ત્રિરંગો લહેરાવી ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે કલેક્ટર રચિત રાજે સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી માછીમારોને જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ન કરીને દરિયાને પ્રદૂષિત થતો અટકાવવો જરૂરી છે તેમજ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને વધુમાં વધુ મતદાન થાય અને ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કોઈ મતદાર બાકી ન રહે એ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ તકે આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!