ખંભાળિયામાં ૐ ગ્રુપ દ્વારા ગણપતિ સ્થાપનમાં રામ મંદિરની ઝાંખી

0

ખંભાળિયાના નવાપરા શેરી નંબર-૧ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસના આ ગણપતિ મહોત્સવમાં દરરોજ અનેકવિધ દર્શન યોજવામાં આવે છે. આ સ્થળે ગઈકાલે ગુરૂવારે સાંજે અયોધ્યા રામ મંદિરના સુંદર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં આસપાસના રહીશોએ લીધો હતો. ત્રણ દિવસના આ ગણપતિ મહોત્સવમાં આજે સાંજે વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

error: Content is protected !!