ભાષાથી અભિવ્યક્તિ સંસ્કૃતિનો વિકાસ અને સંવર્ધન થાય છે : સાંસદ પૂનમબેન માડમ

0

ભાષાથી અભિવ્યક્તિ સંસ્કૃતિનો વિકાસ અને સંવર્ધન થાય છે તેમ જામનગર-દ્વારકા લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું હતું. તેઓએ સુરત ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ભવ્ય અને ગરીમામય સમારોહમાં માનનીય વ્યકતવ્ય આપ્યુ, ત્યારે સૌ મંત્ર મુગ્ધ થઇ ગયા હતા. કેમ કે દૈવીભાષાનું મુલસ્વરૂપ ધરાવતી હિન્દી ભાષા એક આગવું અને રાષ્ટ્રીય સ્તર ધરાવે છે. તેમ સાસંદ પૂનમબેને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત ખાતે યોજાયેલા આ અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની ખાસ ઉપસ્થિતિ વખતે જામનગરના સાંસદ પૂનમબેનને સંમેલન દરમ્યાન એક મહત્વના સેશનમાં અધ્યક્ષતાનું ગૌરવ સાંપડ્યું તે જામનગર દ્વારકા બંને જિલ્લાનું અને ગુજરાતી સંસદસભ્ય માટે ગૌરવપ્રદ હોય તે સ્વાભાવિક છે. હિન્દી દિવસ સમારોહ નિમીતે બીજુ અખિલ ભારતીય રાજભાષા સંમેલન તાજેતરમાં સુરત ખાતે યોજાયું હતું. જેમાં મુખ્ય અતિથી તરીકે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા વિભાગના મંત્રી અમીત શાહની ઉપસ્થિત રહી હતી. આ સંમેલનમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરીમામય ઉપસ્થિતી રહી હતી. આ સંમેલનમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા ભાષા હી સમન્વય કી ભાષા હૈ હિન્દી વિષય ઉપર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. હિન્દી ભાષા પ્રત્યે સાંસદ તરીકે પૂનમબેનને વિશેષ આદર છે અને માતૃભાષા ગુજરાતી પ્રત્યે એક માતા જેવો સબંધ છે. હિન્દી ભાષાને સન્માન આપવું એ અન્ય ભાષાઓનું અપમાન ન હોય શકે પરંતુ હિન્દી ભાષા સૌને મત મતાંત૨ છોડીને એકત્વ સાધવાની પ્રેરણા આપે છે. હિન્દી ભાષાએ આઝાદીના સમયથી સ્વતંત્રતા સેનાનીઓ વચ્ચે પરસ્પર સંક્લનનું કાર્ય કર્યુ છે. ભારતીય બંધારણ સભાએ તા.૧૪ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ હિન્દીને રાજભાષા તરીકેનો સ્વીકાર કર્યો છે. રાજભાષાના વિકાસ માટે સંવિધાનમાં પણ જાેગવાઈઓ થયેલ છે અને હાલની સરકાર પણ હિન્દી ભાષાને પરસ્પર સંકલન સાથે એક ઉચ્ચ સ્થાન અપાવવા માટે પ્રતિબદ્ધ છે. સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ વિષય ઉપર રજુ કરેલા તેમના વક્તવ્ય અને વિચારોના ઉંડાણ અને હિન્દી દિવસને સાર્થક કરતા વિચારો અને મુદાઓની ઠેર ઠેર પ્રસંશા થઈ રહી છે. આ સમારોહ સ્તુત્ય બની રહ્યો હતો. આ તકે તેમના સંદેશામા પૂનમબેન માડમએ જણાવ્યું હતું કે, રાજભાષા સંમેલનમા ઉપસ્થિત રહેવાનો તેમજ નિષ્ણાંતો સાથે પરામર્શનો અવસર સાંપડ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે અનુરોધ કર્યો છે કે, હિન્દી ભાષાના મહત્વની આપણે સૌ જાળવણી કરી હિન્દીના મુલ્યો વિશેષતા અને સાહિત્યને વધુ બુલંદી અપાવીએ તે સમયની માંગ છે તેમજ રાષ્ટ્રભરમાં એક સરખી અભિવ્યક્તીની ધરી છે. સુરત ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ વખતે જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદને સેશન અધ્યક્ષતાનું ગૌરવ સાંપડ્યુ હતું.

error: Content is protected !!