ખંભાળિયામાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ : ભાજપ ઉપર આકરા પ્રહારો કરાયા

0

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પક્ષના કાર્યકરોનું નેટવર્ક તથા જન સંપર્ક અભિયાન દિવસે-દિવસે વધી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકરો દ્વારા જન સંપર્ક અભિયાન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ સાથે પંજાબના “આપ”ના ધારાસભ્ય જીવન જ્યોત કૌર પણ સાથે જાેડાયા હતા. આમ આદમી પાર્ટીના હોદ્દેદારો-કાર્યકરો દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં દુકાને-દુકાને તથા ઘરે-ઘરે જઈ અને પત્રિકા વિતરણ કરી, લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વર્તમાન મોંઘવારી, બેકારી વિગેરે પરિસ્થિતિ અંગે લોકોને માહિતગાર કરી, નેતૃત્વ પરિવર્તન દ્વારા આમ આદમી પાર્ટીને સત્તા ઉપર લાવવા માટે અનુરોધ કર્યો હતો. ગઈકાલે ઢળતી સાંજે અહીંના જાેધપુર ગેઈટ ચોક વિસ્તારમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં ભાજપની વર્તમાન સરકાર ઉપર પ્રહારો કરી, લોકોને વીજળી વિના મૂલ્યે આપી, મોંઘવારીથી રાહત અપાવવા તથા સુખાકારીમાં વધારો કરવા અંગેના વચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ખંભાળિયા ખાતે આવેલા આમ આદમી પાર્ટીના જાેઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી ખંભાળિયા તાલુકાના વતની હોય, તેઓ ચૂંટણી બાદ વિજેતા થઈ ખંભાળિયા ઉપર જાણે વરસી પડશે તેવા વચનો આપ્યા હતા. તેથી સંભવિત રીતે તેઓ દ્વારકા જિલ્લામાંથી આપના ઉમેદવાર તરીકે ઝુકાવશે કે કેમ ? તેવી ચર્ચાએ પણ જાેર પકડ્યું છે.

error: Content is protected !!