જૂનાગઢ ગિરનારની પરિક્રમા રૂટ ઉપર ૩ યાત્રીકોનાં મૃત્યું

0

જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં ભાગ લઈ રહેલા ૩ યાત્રીકોનાં મૃત્યું થયાનું જાણવા મળે છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, પરિક્રમાના રૂટ ઉપર ૩ લોકોના મોત નિપજ્યા છે. જેમાં ઇંટવા ઘોડીથી ભવનાથના રસ્તે કાંતિભાઇ આત્મારામ સોલંકી(ઉ.વ.૫૦) રહે.સાણંદ, અમદાવાદનું વ્હેલી સવારે ૩ વાગ્યાના અરસામાં હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. ઝીણાબાવાની મઢીથી માળવેલાની વચ્ચે રત્નકાંત દત્તાત્રેય પાટીલ(ઉ.વ.૬૧) નામના મહારાષ્ટ્રના પરિક્રમાર્થીનું પણ હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. ઝીણાબાવાની મઢીથી આગળ કોઝવેમાં પડી જતાં માથામાં ઇજાને લીધે એક ભાવિકનું મૃત્યુ થયું હતું. જ્યારે મોડી સાંજે ૮ વાગ્યે ગીરનારની નવી સીડી ઉપર ૩૪૦૦ પગથિયેથી રામચંદ રામાનંદી (ઉ. ૫૦, રે. કામરેજ, સુરત)નું હાર્ટ એટેકથી મોત થયું હતું.

error: Content is protected !!