ગરવા ગિરનારની લીલી પરીક્રમામાં માનવ મહેરામણ ઉમટી પડયો

0

ગરવા ગિરનારની લીલી પરીક્રમાનો કારતક સુદ-૧૧ એટલે કે દેવદિવાળીનાં પાવન પર્વે મધ્યરાત્રીએ દિપ જયોત પ્રગટાવી શ્રીફળ વધારી અને જય ગિરનારીનાં નાદ સાથે મહંતશ્રી હરીગીરીજી મહારાજે સંતોની ઉપસ્થિતિમાં આ પરીક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ગિરનારની આ પરીક્રમામાં આ વર્ષે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે. પરીક્રમા શરૂ થાય તે પહેલાં જ એક દિવસ વહેલી પરીક્રમા શરૂ થઈ હતી. અને અત્યાર સુધીમાં ૪ થી સાડા ચાર લાખ ભાવિકો પરીક્રમામાં ભાગ લઈ રહયા છે. આ પરીક્રમા દરમ્યાન આવનારા ભાવિકોની સુખ સુવિધા તેમજ તેમનાં માટે પ્રસાદની અને ભોજનની વ્યવસ્થા ધાર્મિક સ્થળો અને ઉતારા મંડળો દ્વારા કરવામાં આવી રહી છે. અને ઠેર ઠેર અન્નક્ષેત્રો ધમધમી
ઉઠયા છે.

error: Content is protected !!