તા.૧૪મી એ કંકણાકૃતિ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો : શનિવારે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો નજારો

0

ઉત્તર-મધ્ય અમેરિકા, દક્ષિણ તેમજ કોલંબિયા, બ્રાઝિલમાં અદ્દભુત જાેવા મળશે : સંપૂર્ણ ગ્રહણ કાળ ૦પ કલાક પર મિનિટ, મધ્ય ૦પ મિનિટ ૧૭ સેકન્ડ સ્થિરતા : સૂર્યગ્રહણ નરી આંખે જાેવું અતિ જાેખમી : ચંદ્ર-સૂર્યગ્રહણો માત્ર અવકાશી ખગોળીય ઘટના, પરિભ્રમણની રમત

વિશ્વના દેશો અને પ્રદેશોમાં આગામી તા.૧૪મી ઓકટોબરે શનિવારે કંકણાકૃતિ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજારો નિહાળવા જબરી ઉત્કંઠા જાેવા મળે છે. પાંચ કલાક બાવન મિનિટનો સંપૂર્ણ ગ્રહણકાળ દરમ્યાન પ મિનિટ ૧૭ સેકન્ડની સ્થિરતા ઉપકરણો દ્વારા જાેવાની તૈયારી આરંભી દીધી છે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ પરંતુ વિજ્ઞાનપ્રેમીઓ, ખગોળપ્રેમી, વૈજ્ઞાનિકોએ ગ્રહણની ગતિવિધિ નિહાળવા અને સંશોધન કરવા નિયત જગ્યા-સ્થળની પસંદગી કરી લીધી છે. ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગ્રહણ સંબંધી વિશેષ જાણકારી આપવાની તૈયારી આરંભી દીધી છે. સૂર્યગ્રહણ નરી આંખે જાેવું અતિ જાેખમી છે. ભારતમાં ગ્રહણ સંબંધી વૈધાદિ નિયમો જાેવા મળે છે તે તદ્દન અપ્રસ્તુત, બોગસ જાથા જાહેર કરે છે. જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પડયાએ જણાવ્યું કે સંવત ર૦૭૯ ભાદ્રપદ કૃષ્ણપક્ષ અમાસને તા.૧૪મી ઓકટોબર, ર૦ર૩ના રોજ કન્યા રાશિ ચિત્રા નક્ષત્રમાં થનારૂ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ જયારે આ ગ્રહણ ઉત્તર, મધ્ય, દક્ષિણ અમેરિકા, કોલંબિયા અને બ્રાઝિલમાં અદ્દભુત અવકાશી નજારો જાેવા મળવાનો છે. કંકણાકૃતિ પ મિનિટ ૧૭ સેકન્ડ સુધી રહેશે. ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ ઃ ર૦ કલાક ૩૩ મિનિટ ૩પ સેકન્ડ, ગ્રહણ સંમીલન ઃ ર૧ કલાક ૪૦ મિનિટ ૦૯ સેકન્ડ, ગ્રહણ મધ્ય ઃ ર૩ કલાક ર૯ મિનિટ ર૭ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન ઃ રપ કલાક ૧૮ મિનિટ પ૬ સેકન્ડ, ગ્રહણ મોક્ષ ઃ ર૬ કલાક રપ મિનિટ ૧૧ સેકન્ડ, પરમ ગ્રાસ ઃ ૦.૯પર રહેશે. જાથના જયંત પંડયા વધુમાં જણાવે છે કે પૃથ્વી ઉપર હજારો ચંદ્ર-સૂર્યગ્રહણો પસાર થઈ ગયા છે. માત્ર ખગોળીય ઘટના છે તેવું વિજ્ઞાનની મદદથી સાબિત કરવામાં આવશે. ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે દાયકાઓ જુની રદ્દી દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓનો આધાર મુકી માત્રને માત્ર ગુમરાહ કરવાનું કામ કરે છે. માનવીની કર્મકાંડ-ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો સુતક-બુતક ઠોકી, શારીરિક-માનસિક, આર્થિક શોષણનું કામ લેભાગુઓએ ઉભું કર્યું છે. તેનાથી સાવધાન રહેવા જાથા ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવે છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી કે જીવન પદ્ધતિ ઉપર કશી જ અસર કોઈપણ પ્નકારે થતી નથી છતાં ભારતમાં ગ્રહણ સમયે દાન-પુણ્ય, જપ-તપ, સ્નાન કરવું, રાશિ ફળકથનો અને દોષ નિવારણના નામે લેભાગુઓ અને અમુક જયોતિષીઓ છેતરપિંડીનું કામ કરે છે તેનો જાથા સદૈવ વિરોધ કરે છે. સદીઓથી જયોતિષીઓ અને કર્મકાંડીઓના મિલાપીપણાના કારણે દેશમાં ગુમરાહ-ભ્રામકતા ફેલાવવાનું કામ જાેવા મળે છે. લેભાગુઓ પોતાની આજીવિકા-રોટલા માટે યેનકેન માનવીનું શોષણ કરે છે તેની સામે જાથા જાગૃતિ કાર્યક્રમો આપી નકારાત્મક, અવૈજ્ઞાનિક ફળકથનો, આગાહીઓની પ્નતિક હોળી કરે છે. જેથી જાથાએ સમગ્ર દેશમાં જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. વિશેષમાં એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી-ખરાબ, શુભ-અશુભ, લાભ-નુકશાન, હોની-અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાકૃતિક-કુદરતી, નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શકતું નથી કે રોકી શકતું નથી. તેને જપ-તપ, અનુષ્ઠાન, પૂજાવિધિ કે અન્ય કોઈપણ પ્નકારના ક્રિયાકાંડોના ગતકડા, આશિર્વાદ કે કૃપાદ્રષ્ટિ સાથે કશી જ લેવા-દેવા નથી. લેભાગુઓ સદીઓથી નિરાધાર વાતો મુકી અમંગળ ઘટના બતાવી લોકોને મુર્ખ બનાવે છે. હોમ-હવન, જપ-તપ, અનુષ્ઠાન વિગેરેને અનુસરવું તે માનસિક અધઃપતન સાથે સમયની બરબાદી જ છે. ગ્રહણની જયોતિષીઓ દર્શાવે છે તેવી કોઈપણ ભૌગોલિક અસરો જાેવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી. હંબક વાતો કરે છે. લોકોને ઉઠા ભણાવે છે. મંદિર-દેવસ્થાના બંધ રાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, રાંધેલું અનાજ, પથારીનો ત્યાગ કરવો વિગેરે વર્ષો પૂર્વે બોગસ કહાની-કથનો છે. તેને ગ્રહણ સાથે કશી જ લેવા-દેવા નથી. માનવીએ ચંદ્ર-મંગળ ઉપર પગ મુકી દીધો છે છતાં પણ ભારતમાં માનસિક નબળા લોકો ચંદ્ર-મંગળની વીંટીઓ, હાથના આંગળામાં પહેરી છિન્ન મનોવૃતિના દર્શન કરાવી તેના મંત્ર-જાપ કરી નંગની વીંટી પહેરી મુખાર્મીનું પ્રદર્શન કરે છે. જેનાથી જાથા દુઃખી છે. રાજયમાં જાથાના વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, હિંમતનગર, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ-ભુજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગિર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, તાપી વ્યારા, મહીસાગર લુણાવાડ, ડીસા, ગાંધીધામ, અંજાર, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુવા, કુંકાવાવ, બાબરા, લીંબડી સહિત અનેક તાલુકા મથકે અયાોજનની તૈયારી ચાલી રહી છે. જાથાના નર્મળિ મેત્રા, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, રાજુભાઈ યાદવ, હસમુખ ગાંધી, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, મથલ હુસેનભાઈ ખલીફા, નાથાભાઈ પીપળીયા, પ્નમોદ પંડયા, નર્ભયિ જાેષી, રવિ પરબતાણી, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, અનેક કાર્યકરો પોતાના વિસ્તારમાં કાર્યક્રમ ગોઠવવા સંબંધી વ્યવસ્થા કરી રહ્યા છે. અંતમાં રાજ્યમાં પોતાના ગામ, શહેરમાં વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમો ગોઠવવાના છે. જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!