દિવાળી ટાણે જ જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં આજથી ત્રણ દિવસનો પાણી કાપ

0

જૂનાગઢ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા ભાટીયા ધર્મશાળા રોડ, બુકર ફળીયા, બોરવાડ, માત્રી રોડ, નાથીબુ મસ્જીદ, જગમાલ ચોક તથા ઉપરકોટ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈનની રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે આગામી દિવસોમાં દિવાળીનું મહાપર્વ આવી રહ્યું છે. જેને લઈને લોકો દ્વારા ઘરની સાફ સફાઈ સહિતની કામગીરી કરતા હોય છે. ત્યારે આ તહેવારના સમયે જ મનપા દ્વારા પાણી કાપની જાહેરાત કરતા રોષ ફેલાયો છે. આજ તા.૭થી તા.૯ ત્રણ દિવસ સુધી ઉપરોકત ઉપરકોટ સહિતના વિસ્તારોમાં વોટર વર્કસ શાખા દ્વારા પાઈપલાઈન રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેથી આ ત્રણ દિવસ સુધી આ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે.

error: Content is protected !!