શુક્રવારે લાંબામાં લાંબી રાત્રી અને દિવસ ટૂંકો : તા.રર ડિસેમ્બર લાંબામાં લાંબી રાત્રી

0

શનિવારથી રાત્રિ ક્રમશઃ ટૂંકી અને દિવસ લાંબો થશે : રાજકોટમાં ૧૩ કલાક ૧૪ મિનિટની સૌથી લાંબી રાત્રી : સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિના કારણે ઉતરાયણ કહે છે : પૃથ્વી ઝૂકેલી હોવાના કારણે દિવસ-રાત લાંબા-ટૂંકા અને ઋતુઓ બને છે

શુક્રવાર તા.રર ડિસેમ્બરે રાત લાંબી અને દિવસ ટૂંકોનો લોકો અનુભવ કરશે. પૃથ્વી ૨૩.૫ અંશે જુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા-ટૂંકા, ફેરફાર અને ઋતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી ઉતરાયણ કહેવામાં આવે છે પૃથ્વીથીની ધરી સીધી હોત તો દિવસ રાત ૧૨-૧૨ કલાકની બને છે. શુક્રવારે રાજકોટમાં ૧૩ કલાક અને ૧૪ મિનિટની સૌથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ભારત જન વિજ્ઞાન જાથા લોકોને દિવસ-રાતના સામાન્ય ફેરફારોનો અનુભવ કરવા અપીલ કરવામાં આવી છે. જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે, રાજકોટમાં રાત્રિના ૧૩ કલાક ૧૪ મિનિટ ૧૧ સેકન્ડ, જૂનાગઢમાં રાત્રિના ૧૩ કલાક ૧૧ મિનિટ પ સેકન્ડ, દ્વારકામાં રાત્રી ૧૩ કલાક ૧૩ મિનિટ ૫૯ સેકન્ડ, અમદાવાદમાં ૧૩ કલાક ૧૭ મિનિટ ૧૧ સેકન્ડ, મુંબઈમાં રાત્રિના ૧૩ કલાક એક મિનિટ ૨૭ સેકન્ડ, ઉજ્જૈનમાં રાત્રિના ૧૩ કલાક ૩૬ મિનિટ ૭ સેકન્ડ, દિબ્રુગઢમાં રાત્રી ૧૩ કલાક ૩૬ મિનિટ ૭ સેકન્ડ, કશ્મીરમાં રાત્રી ૧૩ કલાક ૪૩ મિનિટ પ૬ સેકન્ડ, કન્યાકુમારીમાં રાત્રી ૧૨ કલાક ૨૧ મિનિટ ૯ સેકન્ડ, લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ત્યાર બાદ તા.૨૩ મી શનિવારથી રાત્રિ ક્રમશ ટૂંકી અને દિવસ ક્રમશ લાંબો થશે. પૃથ્વીનો ઝુકાવ સૂર્યને પરિભ્રમણ ગતિ, સૂર્ય હોય છે તો દક્ષિણ ગોળાર્ધમાં પણ તે પૃથ્વી ઉપર તરફ ગતિ કરે છે. નાના-મોટા શહેરોમાં સામાન્ય મિનિટોનો તફાવત જાેવા મળે છે. વધુમાં પંડ્યાએ જણાવ્યું કે, સૂર્ય તેના આકાશના વિચરણમાં ઉત્તર ગોળાર્ધમાં ૨૩.૫ અક્ષાંશ સુધી જ જાય છે. અને પછી ત્યારથી પાછો ફરે છે. તે ૨૩.પ અંશ ઉત્તર અક્ષાંશને ઓળંગતો નથી. પૃથ્વી પર ૨૩.૫ ઉત્તર અક્ષાંશને કર્કવૃત કહે છે. પૃથ્વી ઉપરના ૨૩.૫ દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહે છે. વિશેષમાં જયંત પંડ્યા જણાવે છે કે પૃથ્વીની ૨૩.૫ અંશે ઝૂકેલી ધરીને કારણે પૃથ્વી ઉપર ઋતુઓ ઉત્પન્ન થાય છે અને ધ્રુવ પ્રદેશો ઉપર છ-છ મહિનાના દિવસ અને રાત થાય છે. પૃથ્વીના ગોળા ઉપર ઊંચે અક્ષાંશ જે બારે માસ ઠંડી રહે છે ત્યાં બારેય માસ બરફ છવાયેલો રહે છે. અંતમાં જાથાએ આકાશ તરફ લોકોને નજર કરતાં થાય અને ખગોળ વિષય ઉપર રૂચિ કહેવાય તે માટે અભિયાન આદર્યું છે. શુક્રવારે લોકો લાંબામાં લાંબી રાત્રીનો અનુભવ કરી બીજે દિવસથી રાત્રી ક્રમશઃ સેકન્ડની ગણતરીએ ટૂંકી અને દિવસ ક્રમશઃ લાંબો થશે. વિશેષ માહિતી માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!