માણાવદર તાલુકાના દગડ ગામે છકડો રિક્ષા ઝાડ સાથે અથડાતા ચાલકનું મૃત્યું

0

માણાવદર તાલુકાના દગડ ગામે છકડો રિક્ષા ઝાડ સાથે અથડાતા ચાલકનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર, ભાવેશ માધાભાઈ બોરીચા પોતાના હવાલાની છકડો રિક્ષા જીજે-૦૩-બીટી-૪૯૭૩ લઈને જઈ રહ્યા હતા તે દરમ્યન સ્ટીરીંગ પરનો કાબુ ગુમાવતા છકડો રિક્ષા ઝાડ સાથે અથડાઈ હતી અને આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા ભાવેશભાઈનું મૃત્યું થયું હતું તેમજ રિક્ષામાં બેઠેલા મજુરોને ઈજા પહોંચી છે. આ બનાવ અંગે માણાવદર પોલીસને જાણ થતા પોલીસે બનાવના સ્થળે પહોંચી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
જૂનાગઢના કિરીટનગર, દોલતપરા ખાતે રહેતા રોજમીન એઝાઝભાઈ નાઈ(ઉ.વ.ર૪)એ કોઈપણ અગમ્ય કારણસર પોતાના ઘરે દુપડા વડે પંખા સાથે ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય એક બનાવમાં જૂનાગઢના ચોબારી રોડ ઉપર રહેતા ઉષા ઉર્ફે ઉર્વીશી કેવીનભાઈ સોનીગ્રા(ઉ.વ.રર) કોઈપણ અંગત કારણસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

કેશોદ : એસિડ પી જતા મૃત્યું
કેશોદના એરપોર્ટ રોડ ઉપર રહેતા મેણાંદભાઈ ઉર્ફે ભૂપતભાઈ ઓઘાભાઈ વાળા(ઉ.વ.પ૪)એ જીંદગીથી કંટાળી જઈ પોતાની રીતે એસિડ પી જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે.

error: Content is protected !!