જૂનાગઢમાં લખલાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

0

જૂનાગઢમાં લખલાણી પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. મનસુખલાલ માધવભાઈ લખલાણી, મુકેશભાઈ લખલાણી અને લખલાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન વિશ્વેશ્વર મહાદેવની સામે, મોતી પેલેસ ટાઉનશીપ, પેટ્રોલ પંપ પાસે, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ ખાતે આ ધાર્મિકત્સવો ઉજવાઈ રહ્યો છે. કથાનો પ્રારંભ તા.૬-૧ર-ર૦ર૩ના કરવામાં આવ્યો હતો. કથામાં આવતા વિવિધ પ્રસંગોની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કથાના વ્યાસાસને વ્યકતા સાગરભાઈ શાસ્ત્રી વલસાડવાળા બિરાજી સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ દરમ્યાન કથાનું રસપાન ભાવિકો કરી રહ્યા છે. આગામી તા.૧ર-૧ર-ર૦ર૩ના રોજ કથાની પુર્ણાહુતી યોજાશે. શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞના કાર્યક્રમને સફળ બનાવવા લખલાણી પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!