આજે એકાદશીના પાવન પર્વે જૂનાગઢમાં મુખ્ય સ્વામીનારાયણ મંદિરે ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા

0

જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિર ખાતે સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો બિરાજમાન છે અને સાક્ષાત સિધ્ધેશ્વર મહાદેવ ભકતજનોની મનોકામના પુર્ણ કરે છે. પૂનમે ભાવિકોનો મેડાવડો અહીં રહે છે જયારે વિવિધ પર્વ પ્રસંગે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા ધર્મોત્સવના કાર્યક્રમો યોજવામાં આવે છે. ચેરમેન શ્રી પૂજય દેવનંદન સ્વામી તથા મુખ્ય કોઠારી પૂજય પ્રેમસ્વરૂપદાસજી તથા પૂજય પી.પી. સ્વામી સહિતના સંતો અને સેવકગણો દ્વારા અહીં આવનારા ભાવિકોની સુવિધા તેમજ પ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવતું હોય છે. આજે એકાદશીના પાવન પ્રસંગે વહેલી સવારથી જ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતા.

error: Content is protected !!