માંગરોળ નાયબ મામલદાર રાજુભાઇ પરમારને મામલતદર તરીકેનું પ્રમોશન મળતા વિદાઈ સમારોહ યોજાયો

0

માંગરોળના વતની અને હાલ માંગરોળ મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં રાજુભાઈ પરમારને મામલતદાર તરીકે પ્રમોશન મળતા ગિર-સોમનાથ કલેકટર કચેરીમાં ચૂંટણી શાખાના મામલતદાર તરીકે નિયુક્ત થતા માંગરોળ મામલતદાર કચેરીનાં સ્ટાપ દ્વારા રાજુભાઇ પરમારનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં માંગરોળ મામલદાર મણવર દ્વારા પળો આપી સાલ ઓઢાડી સન્માન કરી વિદાઈમાન આપવામાં આવ્યું હતું. રાજુભાઈ પરમાર ૨૦૧૦માં નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યાના તેર વર્ષ બાદ મામલતદાર બનતા પરીવાર આને મિત્ર વર્તુળમાં હર્ષની લાગણી, જાેવા મળી હતી. પ્રમોશન થતા રાજુભાઈ પરમાર ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

error: Content is protected !!