જૂનાગઢ ખાતે બલિદાન દિવસ ઉજવાયો

0

શીખ ધર્મના દસમા ગુરૂ ગોવિંદસિંહજીના વીરપુત્રો બાબા જાેરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની ધર્મની રક્ષા માટે શહાદતને યાદ કરવાનો દિવસ અને આ દિવસને આપણે “વીર બાલ દિવસ” તરીકે યાદ કરીએ છીએ જૂનાગઢ મહાનગર ખાતે ગુરૂનાનક શાહી ગુરૂદ્વારા અંબિકા નગર ખાતે વીર બાલ દિવસ નિમિત્તે શબ્દ કીતૅન યોજાયો હતો ગોવિંદસિંહજીના જીવન ચરિત્ર તથા તેમના પુત્રોનાં બલિદાન વિશે માહિતી આપવામાં આવેલ હતી. આ તકે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર પ્રમુખ પુનીતભાઈ શર્મા મહામંત્રી મનનભાઈ અભાણી, કોર્પોરેટર આરતીબેન જાેષી, પલ્લવીબેન ઠાકર, યુવા મોરચાના પ્રમુખ વિનસભાઈ હદવાણી, લખનભાઇ કોટક ધર્મેન્દ્રભાઈ નંદવાણી, મહિલા મોરચાના હિરલબેન કોરીયા, આકાશ દવે, કેતન નાંઢા, યોગેશ જેઠવા, પ્રિન્સ હુણ, વિજય વાઢેર તથા કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.

error: Content is protected !!