ભવનાથ વિસ્તારમાં તલવાર વડે હુમલો : ત્રણ સામે ફરિયાદ

0

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગિરનાર અન્નક્ષેત્ર પાસે બનેલા એક બનાવમાં તલવાર વડે હુમલો કરવા અંગે ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ભવનાથ પોલીસે આપેલી વિગત અનુસાર શિવગીરી ગુરૂ શ્રી દિગંબર જયદેવગીરી(ઉ.વ.પ૦) (રહે.શિવદત આશ્રમ, સુદર્શન તળાવની પાળ પાસે, ભવનાથ તળેટી વાળા)એ બે અજાણ્યા માણસો તથા ગજાનંદબાપુ રહે.ભવનાથ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી પોતાનો ઘોડો લઈ ભવનાથ વિસ્તારમાં ફરતા હતા તે દરમ્યાન ભવનાથ મચ્છુકઠીયા સુથાર જ્ઞાતીની વાળી પાસે ફરિયાદી પહોંચતા બે અજાણ્યા માણસો તથા હાથગમાં તલવાર લઈને આવેલ ગજાનંદબાપુએ ફરિયાદીને આડેધડ ઢીકાપાટુનો માર મારી તથા બેફામ ગાળો કાઢી એકબીજાની મદદગારી કરી જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભવનાથ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!