બિલખામાં શ્રી રામ યુવક મંડળ દ્વારા અયોધ્યાથી આવેલ અક્ષત અને આમંત્રણ પત્રિકા ઘરે-ઘરે પહોંચાડી

0

આગામી તા.રર જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ લલાની મૂર્તિના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર દ્વારા આયોધ્યાથી ગામે-ગામ અને ઘરે-ઘરે પહોંચાડવા માટે અક્ષત(ચોખા) અને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવેલ છે. આ અક્ષત અને આમંત્રણ પત્રિકા બિલખામાં ઘરે-ઘરે પહોંચાડવાનું બીડું બિલખાના ધમર્પ્રિય નવ યુવાનો દ્વારા બનાવવામાં આવેલ શ્રી રામ યુવક મંડળ બિલખાએ ઝડપ્યું છે અને ઘરે-ઘરે પહોંચાડેલ છે. શ્રી રામ યુવક મંડળના નવા યુવાનોએ સૌરાષ્ટ્ર ભૂમિ બ્યુરો ઓફિસ બિલખા ખાતે મુલાકાત લઈ અક્ષત અને આમંત્રણ પત્રિકા પાઠવી હતી.

error: Content is protected !!