સાબલપુર નજીક રેલ્વે ટ્રેક ઉપર અકસ્માતે ટ્રેન હડફેટે આવી જતા કુતિયાણાના વૃધ્ધ દંપતિનું મૃત્યું

0


જૂનાગઢ તાલુકાના સાબલપુર નજીક રેલ્વે પાટા ઉપર અકસ્માતે ટ્રેન હડફેટે આવી જતા કુતિયાણાના વૃધ્ધ દંપતિનું મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનથી બે કિલોમીટર દુર આવેલા રેલ્વે પોલ નંબર ૯૮/૦ તથા ૯૭/૯ની વચ્ચે બનેલા આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કાંતીભાઈ દેવશીભાઈ સુરેલા(ઉ.વ.પપ) તથા વિજીયાબેન કાંતીભાઈ સુરેલા(ઉ.વ.પર) રહે.કુતિયાણા ચુનારાવાસ પાસે વાળા ગઈકાલે સાબલપુર ગામે મેલડી માતાજીના મંદિરે દર્શને આવેલ હોય ત્યારે રેલ્વે પોલ નંબર ૯૮/૦ તથા ૯૭/૯ની વચ્ચે રેલ્વે પાટા ઉપર અકસ્માતે ટ્રેન હડફેટે આવી જતા આ વૃધ્ધ દંપતિને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતા તેમનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!