રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા ૧પ૦ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે પુ. મુક્તાનંદબાપુના આર્શીવાદ ધો.૧થી ૧રના સમારંભ યોજાયો હતો. જેમાં ૧પ૦થી વધુ વિદ્યાર્થીઓને પુ. નિલકંડ ચરણ દાસજી સ્વામી, પુ. જાેષી બાપા, શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, માજી ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, પત્રકાર વિનુભાઈ જાેષી સહિત સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે પ્રમાણપત્ર, શિલ્ડ આપી સન્માનીત કરાયા હતા. જેમાં કેન્દ્રીય વિદાલય જૂનાગઢ ખાતેથી ધો.૧૦માં ૭૭ ટકા મેળવવાની સાથે મૌલિક કુમાર મહેતાએ સમાજને સેવાના રૂપમાં કંઈક શ્રેષ્ઠ આપવાના ઉમદા લક્ષ્ય સાથે ધો.૪થી શરૂ કરીને ૭ વર્ષની સતત મહેનતના ફળ સ્વરૂપે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડની સફરમાં ક્રમશ તમામ સોપાનો સર કરીને ગુજરાત રાજયના અમદાવાદ રીજીયનની ૪૭ કેન્દ્રીય વિદ્યાલયમાંથી પસંદગી પામેલ કુલ ૧૦૦ સ્કાઉટમાંથી રાજય પુરસ્કાર કેમ્પમાં રાજયકક્ષાએ પ્રથમ ક્રમાક મેળવી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધીમાં પ્રથમવાર ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ રાજય પુરસ્કાર મેળવનાર સ્કાઉટ તરીકે કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ શાળા પરિવારનું તથા કુટુંબ પરિવારનું નામ રોશન કરેલ છે અને હાલ કેન્દ્રીય વિદ્યાલય રાજકોટ ખાતેથી ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ રાષ્ટ્રીય પુરસ્કાર માટે નોમિનેટ થવા બદલ તેઓનું પુ. નિલકંઠ ચરણદાસજી સ્વામીએ સન્માન કરી આશિવર્દ આપેલ તેમજ જૂનાગઢ કેન્દ્રીય વિદ્યાલય ધો.રમાં ૯૧ ટકા મેળવનાર રિયા વરૂણભાઈ ભરાડનું શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડના હસ્તે અને ૧પ૦થી વધુ વિદ્યાર્થીઓને સંતો, આગેવાનો ઉપરાંત પત્રકાર, જયશેભાઈ ભરાડ, સી.વી. જાેષી, ભાનુભાઈ જાેષી, એડવોકેટ શશીકાંતભાઈ બોરીચાંગર સહિતનાએ બિરદાવ્યા હતા. તેમજ રાજગોર સમાજ માટે વોટસએપ ગ્રુપના માધ્યમથી અનેકના વેવિશાળ કરાવનાર રજનીભાઈ મહેતાનું પણ સન્માન કરાયું હતું. ઉપરોકત તસ્વીરમાં દિપ પ્રાગટય કરી વિદ્યાર્થીઓને સન્માનિત કરતા પુ. સંતો આગેવાનો તેમજ પુ. નિલકંઠ ચરણ સ્વામીનું સન્માન કરતા રાજગોર બ્રાહ્મણ સેવા મંડળના અધ્યક્ષ કિશોરભાઈ પાઠક, પ્રુમખ હરેશભાઈ પંડયા અને તેની સમગ્ર ટીમ નજરે પડે છે. કાર્યક્રમનું સંચાલન એલ.વી. જાેષી તથા વિજયભાઈ જાેષીએ કરેલ અને આભારવિધી હરેશભાઈ પંડયાએ કરી હતી.

0

રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે પુ. મુક્તાનંદબાપુના આર્શીવાદ ધો.૧થી ૧રના સમારંભ યોજાયો હતો. જેમાં ૧પ૦થી વધુ વિદ્યાર્થીઓને પુ. નિલકંડ ચરણ દાસજી સ્વામી, પુ. જાેષી બાપા, શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, માજી ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, પત્રકાર વિનુભાઈ જાેષી સહિત સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે પ્રમાણપત્ર, શિલ્ડ આપી સન્માનીત કરાયા હતા. જેમાં કેન્દ્રીય વિદાલય જૂનાગઢ ખાતેથી ધો.૧૦માં ૭૭ ટકા મેળવવાની સાથે મૌલિક કુમાર મહેતાએ સમાજને સેવાના રૂપમાં કંઈક શ્રેષ્ઠ આપવાના ઉમદા લક્ષ્ય સાથે ધો.૪થી શરૂ કરીને ૭ વર્ષની સતત મહેનતના ફળ સ્વરૂપે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડની સફરમાં ક્રમશ તમામ સોપાનો સર કરીને ગુજરાત રાજયના અમદાવાદ રીજીયનની ૪૭ કેન્દ્રીય વિદ્યાલયમાંથી પસંદગી પામેલ કુલ ૧૦૦ સ્કાઉટમાંથી રાજય પુરસ્કાર કેમ્પમાં રાજયકક્ષાએ પ્રથમ ક્રમાક મેળવી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધીમાં પ્રથમવાર ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ રાજય પુરસ્કાર મેળવનાર સ્કાઉટ તરીકે કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ શાળા પરિવારનું તથા કુટુંબ પરિવારનું નામ રોશન કરેલ છે અને હાલ કેન્દ્રીય વિદ્યાલય રાજકોટ ખાતેથી ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ રાષ્ટ્રીય પુરસ્કાર માટે નોમિનેટ થવા બદલ તેઓનું પુ. નિલકંઠ ચરણદાસજી સ્વામીએ સન્માન કરી આશિવર્દ આપેલ તેમજ જૂનાગઢ કેન્દ્રીય વિદ્યાલય ધો.રમાં ૯૧ ટકા મેળવનાર રિયા વરૂણભાઈ ભરાડનું શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડના હસ્તે અને ૧પ૦થી વધુ વિદ્યાર્થીઓને સંતો, આગેવાનો ઉપરાંત પત્રકાર, જયશેભાઈ ભરાડ, સી.વી. જાેષી, ભાનુભાઈ જાેષી, એડવોકેટ શશીકાંતભાઈ બોરીચાંગર સહિતનાએ બિરદાવ્યા હતા. તેમજ રાજગોર સમાજ માટે વોટસએપ ગ્રુપના માધ્યમથી અનેકના વેવિશાળ કરાવનાર રજનીભાઈ મહેતાનું પણ સન્માન કરાયું હતું. ઉપરોકત તસ્વીરમાં દિપ પ્રાગટય કરી વિદ્યાર્થીઓને સન્માનિત કરતા પુ. સંતો આગેવાનો તેમજ પુ. નિલકંઠ ચરણ સ્વામીનું સન્માન કરતા રાજગોર બ્રાહ્મણ સેવા મંડળના અધ્યક્ષ કિશોરભાઈ પાઠક, પ્રુમખ હરેશભાઈ પંડયા અને તેની સમગ્ર ટીમ નજરે પડે છે. કાર્યક્રમનું સંચાલન એલ.વી. જાેષી તથા વિજયભાઈ જાેષીએ કરેલ અને આભારવિધી હરેશભાઈ પંડયાએ કરી હતી.

error: Content is protected !!