શ્રી ખોડલધામ મંદિર ખાતે મંદિર સ્ટાફ દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવી : ૫૬ ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો

0

ભક્તો માતાજીની સાથે ગણેશજીના દર્શન કરવા ઉમટયા

મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ ગામે આવેલું ખોડલધામ મંદિર દેશ – વિદેશમાં જાણીતું બની ગયું છે. ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. ખોડલધામ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવી છે. શ્રી ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા વિશાળ પંડાલ બનાવી તેમાં ૫ ફૂટની ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રજવાડી સાડી અને અલગ અલગ તોરણોથી ગણેશ પંડાલને શણગારવામાં આવ્યો છે.
ગણેશજીને અન્નકૂટ ધરવામાં આવ્યો
ઠેર ઠેર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શ્રી ખોડલધામ મંદિરના કેમ્પસમાં શ્રી ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં રોજ સવાર-સાંજ સ્ટાફ દ્વારા આરતી કરવામાં આવે છે. ૧૧ સપ્ટેમ્બરના રોજ ગણેશજીને ૫૬ ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો છે. માં ખોડલના દર્શન સાથે ભક્તો ગણેશજીના દર્શન કરવા આવી રહ્યા છે.

error: Content is protected !!