ખંભાળિયામાં મહર્ષિ વાલ્મીકિ જયંતિનો કાર્યક્રમ યોજાયો

0
         ખંભાળિયામાં દેવભૂમિ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા નગરપાલિકા યોગ કેન્દ્ર હોલ ખાતે ગુરુવારે મહર્ષિ શ્રી વાલ્મિકી જયંતિનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
       આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ એડવોકેટ મહેન્દ્રભાઈ મકવાણા તથા મહામંત્રી દિનેશભાઈ મકવાણા, કરસનભાઈ જોડ, ઉપપ્રમુખ રાહુલભાઈ બેરડીયા, નગરપાલિકાના મોહિતભાઈ મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, વાલ્મિકી સમાજના પ્રમુખ રમેશભાઈ વાઘેલા,જિલ્લા ભાજપ સફાઈ સેલ  આગેવાન, વાલ્મીકિ સમાજના ભાઈઓ, બહેનો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
error: Content is protected !!