દ્વારકાધીશ આવેલા મોરારીબાપુ ઉપર તત્કાલિન ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ

0

કથાકાર મોરારીબાપુના શ્રીકૃષ્ણ બાબતે કેટલાક વિધાનથી યદુવંશી સમાજમાં વિરોધની લાગણી પ્રસરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાન્હા વિચાર મંચ દ્વારા મોરારીબાપુને તેમના વિધાનો બદલ માફી દ્વારકાધીશના ચરણોમાં આવીને માંગવા માટે અલ્ટિમેટમ અપાયું હતું. આના અનુસંધાને મોરારીબાપુ ગઈકાલે ગુરૂવારે સાંજે દેવભૂમિ દ્વારકામાં આવ્યા હતા. દ્વારકાના શારદા પીઠ ખાતે તેમણે સ્થાનિક આગેવાનો તથા જિલ્લા સાંસદ પૂનમબેન માડમ વિગેરેની ઉપસ્થિતીમાં તેમનું કથન રજૂ કર્યું હતું. તેમની વાત પૂર્ણ થતાં તુરંત જ દેવભૂમિ દ્વારકા તાલુકાના તત્કાલિન ધારાસભ્ય અને ભગવાન શિવના પરમ ભક્ત એવા પબુભા માણેક ગુસ્સાભેર ધસી આવ્યા હતા અને મોરારીબાપુ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. સમય પારખીને સંસદ સભ્ય પૂનમબેન માડમ પૂજ્ય મોરારી બાપુની બાજુમાંથી તુરંત જ ઊભા થઈ પબુભા માણેકને અટકાવ્યા હતા અને સ્થાનિક આગેવાનો- કાર્યકરોએ પબુભાને આ સ્થળેથી લઈ જઈને મામલો થાળે પાડયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!