૩ર(ક) સ્ટેમ્પ ડયુટીનાં બે દાયકા જુના તુમારની હાડમારીમાંથી ગુજરાતની પ્રજાને મુકત કરો : ભરત ગાજીપરા

0

 

ગુજરાત સરકારનાં સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા તા.૧-૪-ર૦૦૦ બાદ સરકારનાં હુકમથી કોઈપણ મિલકત ફેરબદલ થાય તો સરકારે નિયત કરેલ સ્ટેમ્પ ડયુટીની રકમથી ઓછી રકમનાં સ્ટેમ્પવાળા દસ્તાવેજ નોંધાતા નથી. સરકારનું આ આવકારદાયક પગલું છે. પરંતુ ૧૯૪૭થી આજ સુધીમાં અપૂરતી સ્ટેમ્પ ડયુટી અંગેનાં અનેક વિવાદ તુમારમાં પેન્ડીંગ છે. ભૂતકાળમાં સરકારે પ૦ ચો.મી.નાં બાંધકામ સહિતનાં તેમજ ૧૦૦ ચો.મી.નાં બાંધકામ સહિતનાં દસ્તાવેજાે, તા.૩-૭-૧૯૯૮ થી બે વર્ષ માટે મુકિત આપેલ. આ સમયગાળામાં પણ વહીવટી તંત્ર દ્વારા નાની-મોટી ટેકનીકલ બાબતો ઉભી કરી, અનેક દસ્તાવેજાે પેન્ડીંગ રાખેલ છે. ત્યારબાદ ૧૯૯૮ થી ર૦૦૩ સુધીમાં સરકાર દ્વારા વિવિધ સ્ટેમ્પ ડયુટીનાં કેસનાં તુમારમાં નિકાલ માટે ખુટતી સ્ટેમ્પ ડયુટીનાં પ૦ ટકા માફી, ૩૦ ટકા માફી, જેવી યોજનાઓ ર૦૦૩ સુધી લાવેલ. આ યોજનામાં માત્ર ર૦ ટકા કેસોનો નિકાલ થયેલ. કારણ કે આ યોજનાની બહોળી પ્રસિધ્ધિ થયેલ નહી. ભાજપ અગ્રણી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં પૂર્વ ચેરમેન ભરત ગાજીપરાએ મુખ્યમંત્રી, નાણામંત્રી અને મેહસુલ મંત્રીને રજૂઆત કરી. આ તુમારમાં નિકાલ કરવા સરકાર કોઈપણ પ્રકારની એમ્નેસ્ટી સ્કીમ ભૂતકાળની માફક ખૂટતી સ્ટેમ્પ ડયુટીની રપ ટકા રકમ અને વ્યાજ માફ જેવી જાહેરાત કરે તેમજ ભૂતકાળમાં પ૦ મીટર અને ૧૦૦ મીટરનાં બાંધકામ સહિતનાં મકાનોનાં સેંકડો અટકેલ દસ્તાવેજાેમાં કોઈ ટેકનીકલ બાબતો જાેયા વિના રૂા.પ૦૦ કે ૧૦૦૦ વસુલ લઈ આ દસ્તાવેજાે મુકત કરવા જાેઈએ તેવી માંગણી અને રજૂઆત ભરત ગાજીપરાએ કરેલ છે. સરકાર આ સંદર્ભે નકકર યોજના કરશે તો હાલનાં બે દાયકા જૂના ૯૦ ટકાથી વધુ કેસો પૂર્ણ થાય તેમ છે અને સરકારને સારી એવી આવક પણ થશે. સરકાર જે યોજના જાહેર કરે તેની વ્યાપક પ્રસિધ્ધિ અથવા ઈફેકટેડ પક્ષકારોને જાણ કરવી જરૂરી છે. બે દાયકા જુના સ્ટેમ્પ ડયુટીનાં તુમારમાં કાયદાકીય વિચિત્રતા એ છે કે, જેણે મિલકત વેંચી નાંખી છે તેવા ૮૦ ટકા થી વધુ લોકોનાં કેસ એકતરફી ચાલે છે અને જે હુકમ થાય તે રકમ, જેની સામે કેસ ચાલેલ છે તેને ભરવાની થતી નથી અને પ્રમાણિકતાથી પુરતી સ્ટેમ્પ ડયુટી ભરેલ મિલકત ધારકનાં ખાતામાં આવી રકમો બાકી લેણા તરીકે ઉધારવામાં આવે છે. તે ન્યાયી અને વ્યાજબી નથી. તેમજ અનેક કિસ્સા એવા છે કે ત્રણથી પાંચ વખત પૂરતી સ્ટેમ્પ ડયુટી ભરેલી મિલકોતોની ફેરબદલ થયેલ છે, તેવા કિસ્સામાં પણ બે દશકા પછી જુના કેસ ચલાવી મૃત વ્યકિતનાં બાકી લેણાઓ પણ હાલનાં મિલકત ધારક ઉપર નાખવામાં આવે છે. સરકાર ચોકકસ યોજના બનાવી આવા કેસોની લોક અદાલત પણ કરી શકે, સરકાર આ તુમારનો નિકાલ આપી શકે તેમ છે અને જરૂરીયાત છે. આ તુમારમાં નિકાલ થાય તો પ્રત્યેક જીલ્લાનો ૩ર(ક) સ્ટેમ્પ ડયુટીનો સ્ટાફ મુકત થાય તેમ છે અને સરકાર તેનો બીજે ઉપયોગ કરી શકે તેમ છે તેમ ભરત ગાજીપરાએ જણાવતાં ઉમેર્યું છે કે, આ બાતેકોઈને કોઈ સવાલકે પુછપરછ હોય તો મો. નં. ૯૯રપપ ૭પર૪૧ ઉપર માર્ગદર્શન મેળવી શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!