જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત, ગઈકાલે વધુ ૩૦ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત રહેલ છે અને હજુ પણ રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૦ કેસ નોંધાયા છે જે પૈકી જૂનાગઢ શહેર ૧૬, જૂનાગઢ ગ્રામ્ય ૩, કેશોદ ૪, ભેંસાણ ૧ તેમજ મેંદરડા, માંગરોળ અને વંથલીમાં ર-ર કેસ નોંધાયા છે. ગઈકાલે ૪૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. કોરોનાના કેસમાં રોજબરોજ વધારો થતો હોય લોકોને સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ, સેનીટાઈઝેશન સહિતની કાળજી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!