યાત્રાધામ દ્વારકામાં સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા નેવે મૂકી

0

દ્વારકા તાલુકાના ઘડેચી ગામના ભુવન નામના માનસિક અસ્થિર મગજના યુવાને આત્મહત્યા કરી લેતા મીઠાપુર પોલીસે લાશનો કબ્જાેે લઇ દ્વારકા સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી, પરંતુ દ્વારકા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ફરજ ઉપર હોવા છતાં પણ લાશનું પીએમ કરવાની ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે આ બનાવ મીઠાપુરનો છે એટલે મીઠાપુરથી ડોક્ટર આવશે. તમામ ઘટના દરમ્યાન બે કલાકનો સમય વિતી ગયો હોવા છતાં પણ લાશનું પોસ્ટમોર્ટમ નહીં કીરાતાં યુવાનના પરિવારજનો પણ જ દુઃખી થયા હતા. યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં અવારનવાર પીએમ માટે સ્થાનિક લોકો દ્વારા વિવાદ થાય છે ત્યારે ફરી એક વખત દ્વારકાની સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!