જવાહર રોડ જૂનાગઢ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલે ધનતેરસ પૂજનનો કાર્યક્રમ

0

ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા દેવો જેવો બીરાજમાન છે તેવા શ્રીસ્વામિનારાયણ મંદિર જવાહરરોડ જૂનાગઢ ખાતે દિપાવલીનાં તહેવારોની ઉજવણીનો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવેલ છે. અને આવતીકાલે ધનતેરસનાં પર્વ પ્રસંગે વિશેષ પુજા સહિતના કાર્યક્રમો યોજાશે. હરીભકતોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ રહયા છે. દિપોત્સવી પર્વ કોરોનાની સુરક્ષા સાથે ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે. અને આ અંગે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ભકતોની શ્રધ્ધા જયાં કેન્દ્રીત થયેલી છે તેવા સ્વામિનાયરાણ મુખ્ય મંદિરને અનેરી રોશનીથી સજાવટ કરવામાં આવશે અને જૂદા-જુદા પૂજા, અર્ચન, અન્નકોટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
જૂનાગઢનાં જવાહરરોડ ઉપર આવેલ
શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર લાખો શ્રધ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવવામાં આવેલા રાધારમણ દેવ હરીકૃષ્ણમહારાજ,
શ્રી સિધ્ધેશ્વર મહાદેવજી રણછોડરાયજી ત્રિકમરાયજી રિધ્ધીસિધ્ધીનાં દાતા ભગવાન ગણેશજી, સંકટમોચન હનુમાનજી મહારાજ, ઘનશ્યામજી મહારાજના દેવો અહીં બિરાજે છે. અને ભકતજનોનાં દુઃખો દુર કરી અને મનોકામના પુર્ણ કરે છે. ભગવાન શિવજીનાં મંદિરમાં ભગવાન શિવજી, માતા પાર્વતીજી અને ગણેશજી એક સાથે મૂર્તિ સ્વરૂપે બિરાજેલ હોય તેવું શ્રી સ્વામિનારાયણ મંદિર છે અને જવાહરરોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સિધ્ધેશ્વર મહાદેવ, માતા પાર્વતીજી અને ગણેશજી એક સાથે બિરાજમાન છે અને ભકતજનોની સર્વે મનોકામના પુર્ણ કરે છે. આવા આ મંદિરે ભાવિક ભકતોનો પ્રવાહ સતત રહેતો હોય છે. દુર-દુરથી હરીભકતો દર્શનાર્થે આવે છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીનાં સંકટકાળમાં આ મંદિરોને દર્શનાર્થીઓને પણ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ અને તકેદારીનાં ભાગરૂપે બંધ રાખવામાં આવ્યા હતાં અને ધીમે-ધીમે ભકતોની લાગણીને ધ્યાને લઈ અને મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. દિપાવલીનાં તહેવારોની ઉજવણીનો ગઈકાલે એકાદશીથી પ્રારંભ થયો છે અને લાભ પાંચમ સુધી આ તહેવારો ઉજવાશે. જેમાં આવતીકાલે ધનતેરસનાં દિવસે સવારે
૯-૩૭ થી ૧૧ દરમ્યાન પૂજનવિધી થશે. તેમજ કાળીચૌદશનાં દિવસે એટલે કે આસોવદ ચૌદશ શનિવારે સવારે ૧૦ વાગ્યે હનુમંત પૂજન અને ભૈરવ ઉપાસના માટે કાળી ચૌદશના દિવસેથશે. તેમજ આજ દિવસે એટલે કે શનિવારે સાંજે સંધ્યા આરતી થશે દરમ્યાન ચોપડા પૂજન
તા. ૧પ-૧૧-ર૦નાં રવિવારનાં રોજ થશે. સવારે ૧૧ કલાકે ગૌવર્ધન પૂજન તેમજ સવારે ૧ર કલાકે અન્નકુટ દર્શન થશે અને
તા.૧૬-૧૧-ર૦ર૦ કારતક સુદ એકમ સોમવારે નૂતન વર્ષ ઉજવાશે. અને
તા.૧૯-૧૧-ર૦ર૦ કારતક સુદ પાંચમ ગુરૂવારે લાભપાંચમ ઉજવવામાં આવશે.
શ્રી સ્વામીનારાયણ મંદિર એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વહસ્તે પધરાવેલ શ્રી રાધારમણદેવ- હરિકૃષ્ણ મહારાજ, શ્રી સિધ્ધેશ્વર મહાદેવજી ધામ હજારો મુમુક્ષુઓની મનોકામના પુર્ણ કરતું આસ્થાનું કેન્દ્ર જયાં બિરાજમાન દેવોની માનતાથી લાખો લોકોના દુઃખ દર્દ મટે છે. સ.ગુ.શ્રી ગોપાલાનંદજી સ્વામિના હૃદયથી સ્થપાયેલ અને સ.ગુ.શ્રી ગુણાતીતાનંદ સ્વામિના સંકલ્પબળના સમન્વયથી થતી મહાપૂજા કરવાથી આજે પણ સૌના સંકલ્પોને સાકાર સ્વરૂપ આપે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે જયાં બાહુમાં લઈ દેવાધિદેવ શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કરી વિશ્વનું એકમાત્ર શિવસ્વરૂપ પ્રતિષ્ઠિત કર્યુ છે. દીપાવલીનાં આ પર્વમાં મહંત કો.શા.સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) તથા ચેરમેનશ્રી સ.ગુ.કો. સ્વામિ દેવનંદનદાસજી અને કમિટી દ્વારા
શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રધ્ધાળુઓની ભાવના લાગણીને ધ્યાને લઈ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. દિવાળી દરમ્યાન તમામ તહેવારો ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહયા છે. મહંતશ્રી કો.શા.સ્વામિ પ્રેમસ્વરૂપદાસમ(નવાગઢવાળા) તથા પૂજય પી.પી.સ્વામિ અને ટ્રસ્ટીમંડળ તેમજ સંતો અને વ્યવસ્થાપક કમિટી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!