કેશોદમાં રોડ કામનાં ખાતમુહુર્ત પ્રસંગમાં સોશ્યલ ડિસ્ટન્સનાં ધજીયા ઉડયા

0

કેશોદ પોલીસ સ્ટેશનનાં હે.કો. પી.એમ.બાબરીયાએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, કેશોદ ખાતે રહેતા મોહનભાઈ હરીભાઈ બુટાણીએ ગઈકાલે બપોરનાં બાર વાગ્યાની આસપાસ કેશોદ નગરપાલીકાના વોર્ડ નં.૭ વિસ્તારમાં આવતા કૃષ્ણનગરનાં નાકા પાસે રિયલ ગેરેજ પાસે રોડનું ખાતમુહુર્તમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો તથા હોદેદારોને બોલાવી વોર્ડ નં.૭માં રોડનુંખાત મુહુર્તનું આયોજન કરી કોરોના વાયરસ કોવીડ-૧૯ માનવ જીવનને જાેખમકારક ચેપ અન્ય વ્યકિતઓમાં ફેલાવાની સંભાવના હોવાની સંપુર્ણ હકીકતથી વાકેફ હોવા છતા હોદેદારો તથા કાર્યકર્તાઓને બોલાવી રોડનું ખાત મુહુર્તનું આયોજન કરાવી પોતે કે આવેલ કાર્યકરો તથા હોદેદારોમાંથી કોઈએ માસ્ક ન પહેરી અને ઉપસ્થિત માણસો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી ગુનો આચરેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!