જૂનાગઢ શહેરમાં ૭મી માર્ચે ૧ લાખ ભૂદેવોનું મળશે સંમેલન

0

જૂનાગઢમાં ૭ માર્ચે ૧ લાખ ભૂદેવોનું મહાસંમેલન યોજવાનું આયોજન થઈ રહયું છે. આ અંગે નીતાબેન અને ભાવેશભાઈ રાજયગુરૂએ જણાવ્યું હતું કે, દુર્ગાસેના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સંમેલનમાં ૧,૦૦,૦૦૦ બ્રાહ્મણોની હાજરીમાં ૧૦,૦૦૦ મહિલા સશકિતકરણની યોજના, બ્રહ્મ ચોયાર્સી, ઉદ્યોગપતિઓના સન્માન તેમજ દેશની ૧૦૮ મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. દુર્ગાસેનાની ૧૦,૦૦૦ સંયોજક પોતાના પરિવાર સાથે સંમેલનમાં ઉપસ્થિત રહેશે. મહિલાઓને રોજગારી તરફ વાળવા ૩૧ જાન્યુઆરી પહેલા ૧૩ કમિટી બનાવાશે. જૂનાગઢ ખાતે મુખ્ય કાર્યાલય બનાવાશે. જયારે લવ જેહાદની સામે કડક કાયદાની અમલવારીની પણ માંગ કરવામાં આવશે. બ્રાહ્મણોની ૮૪ પેટાજ્ઞાતિના આગેવાનો જ્ઞાતિની બહેનોને જૂનાગઢ પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા કરી રહયા છે. કાર્યક્રમમાં બ્રહ્મસમાજની નાની મોટી સંસ્થાના હોદેદારોનું સન્માન કરવામાં આવશે. સમાજનાં દાતાઓ અને ભામાશાઓ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!