જૂનાગઢમાં આવતીકાલે ૭રમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

0

જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં ૭ર માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને ઠેર-ઠેર ધ્વજવંદન સહીતના કાર્યંક્રમો આવતીકાલે યોજવામાં આવશે. આ વર્ષે કોરોનાના સંક્રમણકાળ વચ્ચે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સાદાઈથી ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢ જીલ્લાકક્ષાનાં પ્રજાસતાક દિનની ઉજવણી પોલીસ તાલીમ ગ્રાઉન્ડ, બીલખા રોડ, જૂનાગઢ ખાતે થશે અને જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારઘીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે.
ભારત દેશ ઉપર બ્રિટીશ સલ્તનતે ર૦૦ વર્ષ સુધી રાજ કર્યુ અને ભારતના લોકો ઉપર ગુલામોની માફક અનેક અત્યાચારો ગુજાર્યા ત્યારબાદ અનેક લોકોની શહીદી બાદ મહાત્મા ગાંધીજીની ચળવળ અને અહિંસક લડતના અંતે આ દેશમાંથી અંગ્રેજાે ભારત છોડીને જતા રહયા અને ૧પ મી ઓગષ્ટ, ૧૯૪૭ના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો અને ત્યારબાદ બંધારણ ઘડવામાં આવ્યું અને ભારતમાં ર૬મી જાન્યુઆરી ૧૯પ૦ના દિવસે પ્રજાકીય સત્તાનો ઉદય થયો અને ગણતંત્ર રાજય અમલમાં આવ્યું એ દિવસને તા.ર૬મી જાન્યુઆરીના ૭૧ વર્ષ પુર્ણ થઈને આવતીકાલે ૭ર મું પ્રજાસત્તાક પર્વ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે.
જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે ધ્વજવંદન
પ્રજાસતાક પર્વની ઉજવણી અંતર્ગત ર૬ મી જાન્યુઆરીએ સવારે ૯.૩૦કલાકે મેયર ધીરૂભાઈ ગોહેલનાં હસ્તે મહાનગરપાલિકા જૂનાગઢ ખાતે ધ્વજવંદન કરવામાં આવશે. આ તકે કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન
જૂનાગઢ શહેરમાં ધ્વજવંદનનાં કાર્યક્રમો ઠેર-ઠેર યોજવામાં આવનાર છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે જેમાં શહેર અને જીલ્લા કોંગ્રેસનાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
વિશેષમાં વિવિધ રાજકીય પક્ષોનાં કાર્યાલય ઉપર ધ્વજવંદનના કાર્યક્રમો તેમજ જૂનાગઢ શહેરમાં આવેલી વિવિધ શાળાઓ, કોલેજાે, સામાજીક સંસ્થાઓ, સ્વરાજય સંસ્થાઓ, સેવાકીય મંડળો, કોર્ટ કચેરી, જેલ સહીતના સંસ્થાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાના બિલખા, મેંદરડા, ભેંસાણ, માળીયા, કેશોદ, વિસાવદર, માણાવદર, માંગરોળ, ચોરવાડ, વંથલી સહીતના તાલુકાઓમાં પણ ધ્વજવંદન સહીતના કાર્યક્રમો યોજવામાં આવશે. ભારત દેશને આઝાદી અપાવનારા નામી અનામી શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રીય નેતાઓને ભાવાંજલી પણ અર્પવામાં આવશે.
રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ધ્વજવંદન કરાશે
જૂનાગઢ ભવનાથનાં રૂપાયતન રોડ સ્થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પૂ. ઈન્દ્રભારતીબાપુ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં સવારે ૧૦ કલાકે આશ્રમ ખાતે પૂ. ઈન્દ્રભારતીબાપુ ગીરનારમંડળનાં સંતો ધ્વજવંદન કરશે. આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષી,મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે.મેયર હિમાંશુ પંડયા, પૂર્વ ડે.મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, શૈલેષ દવે, સંજય મણવર, સંજય કોરડીયા, નિવૃત્ત ડીઆઈજી ડી.જી.વણઝારા સહિતના અગ્રણીઓ, સાધુ સંતો ઉપસ્થિત રહી ત્રિરંગાને સલામી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. ઈન્દ્રભારતીબાપુ દ્વારા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે અને ભવનાથ ક્ષેત્રમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીની પહેલ પણ રાષ્ટ્રપ્રેમ સાથે પૂ. ઈન્દ્રભારતીબાપુ દ્વારા કરવામાં આવે છે.
(૧) ‘એ મેરે વતન કે લોગો, જરા આંખ મે ભર લો પાની,
જાે શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની’
(ર) મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી
મેરે દેશ કરી ધરતી…
જેવા દેશભક્તિના ગીતોનો ગુંજારવ થશે. આ દિવસે ભારતભરમાં દેશભક્તિનો નારા ગુંજી ઉઠશે. અંગ્રેજાેની ગુલામીમાંથી મુકત થયેલા આઝાદ ભારતમાં ૭૧ વર્ષમાં આઝાદીના ફળ કેવા ચાખવા મળ્યા છે, તેમજ વિકાસ કે વિનાશ સહીતના મુદાઓની પણ સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે. આ દિવસોમાં ‘કયા પાયા કયા ખોયા’નું સરવૈયું પણ નિષ્ણાંતો માંડી રહયા છે. સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ જેવા રાષ્ટ્રીય તહેવારો ઉપર દેશને માટે પોતાના ઘર બાર અને પરિવારને ભૂલીને આઝાદી અપાવવામાં જેઓએ અનેક ચળવળોમાં ભાગ લીધા છે એવા બુઝર્ગ સ્વાતંત્ર્ય સેનાનીઓને આ દિવસે યાદ કરવામાં આવે છે અને તેઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે છે. બાકીના ૩૬૪ દિવસ આવા સ્વાતંત્ર્ય સેનાનીઓની આઝાદ ભારતમાં કોઈ ખબર પણ પુછતું નથી તેવો વસવસો સ્વાતંત્ર્ય સેનાનીઓ વ્યકત કરી રહયા છે. ઉપરાંત ભારતીય લશ્કર માટે કેન્દ્ર તથા રાજય સરકારોએ તમામ ખોરાક, પાણી, દવા, પુરવઠો અવિરત મળતો રહે અને બોર્ડર ઉપર રહેલા જવાનને કોઈ મુશ્કેલી ન રહે તેવું વાતાવરણ સર્જવું જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!