કલ્યાણપુર પંથકમાં વિપ્ર મહિલાની બોથડ પદાર્થ ઝીંકીને ર્નિમમ હત્યા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ગતસાંજે એક વિપ્ર મહિલાનો લોહી નીતરતી હાલતમાં નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ વૃદ્ધ મહિલાની બોથડ પદાર્થ વડે ર્નિમમ હત્યા નિપજાવવાના બનાવ સંદર્ભે જિલ્લાનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપી શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતો. આ ચકચારી બનાવની વિગત એવી છે કે કલ્યાણપુરના હનુમાન ચોક વિસ્તારમાં રહેતા જટાશંકર વેલજીભાઈ ભોગાયતા નામના એક નિવૃત્ત બ્રાહ્મણ વૃદ્ધ તેમના ધર્મપત્ની જયાબેન સાથે રહેતા હતા. તેઓના બે પુત્રો જામનગર ખાતે સ્થાયી થયા છે અને ગોરપદુ કરી જીવન નિર્વાહ ચલાવતા હોય જયાબેનનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર સ્તબ્ધ બન્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!