જાણીતા ભજનીક લક્ષમણ બારોટે શિવરાત્રીનાં મેળામાં ઉતારો કરવા સરકાર પાસે કરી માંગણી

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજાય છે અને સંતો – મહંતોના દર્શન તેમજ ધર્મસ્થાનોમાં, ઉતારા મંડળોમાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાય છે. આ વર્ષે શિવરાત્રીના મેળા અંગેની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. પરંતુ સરકારશ્રીનાં માર્ગદર્શન મુજબ શિવરાત્રી મેળો યોજવો કે નહીં તે અંગે નિર્ણય લેવાનાર છે. આ દરમ્યાન છેલ્લા રપ વર્ષ થયાં શિવરાત્રીનાં મેળામાં ઉતારો કરીઅને ભજન, ભોજનની સેવા કરનાર જાણીતા ભજનીક લક્ષ્મણભાઈ બારોટે આગામી શિવરાત્રીનાં મેળામાં ઉતારાની મંજુરી આપવાની માંગણી કરી છે અને આ ધર્મનાં કામમાં સહયોગ કરવા રજુઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!