જૂનાગઢમાં તસ્કરોનો હાથફેરો, રૂા.૩,૮પ,૬૦૦ મુદ્દામાલની, ચોરી પોલીસ ફરિયાદ

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે સાંજનાં ૬ થી ૭ઃ૩૦નાં અરસામાં વણઝારી ચોકમાં રહેતા પંકજભાઈ બુધદેવનાં મકાનમાં તસ્કરોએ હાથફેરો કરો અને તરખાટ મચાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વણઝારી ચોક ખાતે રાજભવન એપાર્ટમેન્ટ, બ્લોક નં.બી-ર ખાતે રહેતા પંકજભાઈ બુધદેવ (ઉ.વ.ર૬)એ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ફરિયાદીનાં ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ સોનાનાં દાગીના જેમાં સોનાનો સેટ-૧, હાર, બુટી, વીટી સાથે મંગલસુત્ર, સોનાનો ચેન, સોનાની વીટી, સોનાની લક્કી, નાકની ચુક, કાનની ચુક, સોનાની બગડી, લેડીઝ વીટી, લોકેટ સહિતનો મુદ્દામાલ તેમજ મોબાઈલનો ચાર્જર તેમજ બે થેલીમાં રાખેલા રોકડા રૂપિયા ર,૪ર,૦૦૦ સહિત કુલ રૂા.૩,૮પ,૬૦૦નાં મુદ્દામાલની ચોરી થઈ છે. જે અંગેની ફરિયાદ પોલીસમાં નોંધવાતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!