ખંભાળિયાઃ ભાજપના દિવંગત નેતાઓને શ્રદ્ધાંજલિ અપાઈ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના સંનિષ્ઠ નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ ગઈકાલે યોજવામાં આવ્યો હતો. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા, અહીંના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ ચાવડા તેમજ ભાણવડ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ વિનુભાઈ ઉનડકટ નામના ભાજપના ત્રણ સંનિષ્ઠ આગેવાનો છેલ્લા થોડા સમય દરમ્યાન નિધન થતાં તેમને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ તથા ભાણવડ શહેર અને તાલુકા ભાજપ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!