જામજાેધપુરનાં નંદાણા ગામે જીવતા સમાધીનું તર્કટ કરનારની ધરપકડ કરો : જાથા

0

જામનગર જીલ્લાનાં જામજાેધપુર તાલુકાનાનં નંદાણા ગામનાં ખેડૂતે જીવતા સમાધી લેવાની જાહેરાત કરતો વિડીયો વાયરલ કરતા ભારે ચકચાર સાથે પબ્લીસીટીનું નાટક કરનાર પ્રવિણભાઈ નારીયા સામે કાયદેસરની કાર્યવાહીની ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ માંગ કરી છે. પ્રવિણભાઈ નારીયાએ વરૂણદેવને અલ્ટીમેટમ આપી તા. ૧લી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ નહી આવે તો જીવતા સમાધી લઈશ તેવો વિડીયો વાયરલ કર્યો હતો તેની સામે જાથાનાં રાજય ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું કે નંદાણાનાં ખેડૂતનું જીવતા સમાધીની જાહેરાત એ નર્યુ તુત-તર્કટ, નાટક છે. આંદોલનકારી ખેડૂતને પબ્લીસીટી સ્ટંટ ભારે પડશે. અને જીવતા સમાધી લેવાનો નુશ્ખો કરનાર ખેડૂત સામે જાથાએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!