જૂનાગઢમાં ભાજપ દ્વારા ‘મારૂ ઘર રસીકરણ યુકત કોરોના મુકત’ અભિયાન

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના મુજબ હર ઘર ઘર દસ્તક આપણા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઘરે ઘરે જઈને વેક્સિનેશનના પ્રથમ અથવા બીજાે ડોઝ લીધો હોય તે લોકોને ત્યાં જઈને સર્વેનાં અભિયાનનો પ્રારંભ જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પુનિતભાઈ શર્માની સુચના મુજબ જૂનાગઢ મહાનગર વોર્ડ નંબર ૧૦નાં આ વિસ્તારમાં તા.૧૩-૧૨-૨૧ને બપોરના ૪ વાગ્યે વોર્ડના પ્રભારી મોહનભાઈ પરમાર, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ રાવલ, મહામંત્રી કેતન પોપટ, કુશલ પારેખ, કોર્પોરેટર હીતેશ ઉદાણી, દીવાળીબેન પરમાર, વોર્ડ ઉપપ્રમુખ ઉમેદસિહ, હરેશભાઈ ચાવડા, બાલકૃષ્ણભાઇ મહેર, કલાપીભાઇ, જયશ્રીબેન જાની, વોર્ડ મંત્રી ભાવનાબેન દેસાઈ, ભારતીબેન રાઠોડ, મહીલા મોરચાના વોર્ડ પ્રમુખ ઈલ્પાબેન, અન્ય કાર્યકર્તાઓ દ્વારા વેક્સિનેશન  સર્વેનો પ્રારંભ કરેલ હતો. જેમાં વોર્ડ નં.૧૦નાં વિસ્તારમાં ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સર્વે કરીને બંને ડોઝ લીધેલા હોય તે લોકોને ઘરે ‘મારૂ ઘર રસીકરણ યુક્ત કોરોના મુક્ત’ના સ્ટીકર લગાડીને ઘર ઘર દસ્તકની શહેરના અધ્યક્ષ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન મુજબ લોકોનો સંપર્ક શરૂ કરવામાં આવ્યો હતો. આ હર ઘર ઘર દસ્તકમાં લોકોના સંપર્ક થયો તેમાં લોકોનો ઉત્સાહ બહુ જ જાેવા મળ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!