માંગરોળમાં મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

0

માંગરોળમાં શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા ગાયત્રી પરિવારનાં સહયોગથી શ્રીગાયત્રી માતાજીના મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ મહાયજ્ઞનું મુખ્ય હેતુ કોરોના મહામારી દરમ્યાન મૃત્યું થયેલા સદગત સ્વજનોનાં પવિત્ર અને દિવ્ય આત્માની શાંતિ માટે મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞના મુખ્ય યજમાન પદે પ્રોફેસર પ્રશાંત  ચ્હાવાલા હતા. ટ્રસ્ટનાં દરેક સદસ્યોએ કાર્યક્રમ સફળતા પૂર્વક કામગીરી દ્વારા આ સુંદર આયોજનમાં મહાલક્ષ્મી ગ્રુપના તમામ સભ્યોએ પરિવાર સાથે દર્શનનો લાભ લીધો હતો. આ ગાયત્રી મહાયજ્ઞમાં ભાજપ આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સહિત અન્ય સેવાભાવી સંગઠનોના આગેવાનો, પત્રકાર મિત્રો તેમજ બહોળી સંખ્યામાં ભાઇઓ-બહેનો અને વડીલોએ હવનના દર્શનનો લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!