માંગરોળ ખાતે પંચદિવસીય શિવ ઉત્સવનું ભવ્ય આયોજન

0

માંગરોળ બ્રહ્માકુમારી સંકુલ “જ્ઞાનવિણા” ખાતે મહાશિવરાત્રીના ઉપલક્ષમાં પંચદિવસીય શિવ ઉત્સવ તથા બાર જ્યોતિલિંગની દિવ્ય પ્રદર્શનીનું ઉદ્‌ઘાટન ખારવા સમાજ પટેલ પરષોતમભાઇ ખોરાવા નગરશ્રેષ્ઠી મેરામણભાઇ યાદવના શુભહસ્તે કરાયેલ હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી પુષ્પાબહેને સૌને આવકારેલ હતા. શિવવંદના સ્તુતિ અને વેદરૂચાઓના પઠન બાદ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરાયેલો હતો. કાર્યક્રમમાં જમનાદાસભાઇ વંડુર, મધુસૂદનભાઇ જાેષી, નરેશભાઇ ગોસ્વામી, નારણભાઇ, કાનજીભાઈ થાપણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનીમાં રૂદ્રાક્ષ પારાઓમાથી બનાવેલ ભવ્ય શિવલીંગ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સતત સાત દિવસ મહાદેવ શિવની સાધના આરાધના અને ભજન ર્કિતનનો કાર્યક્રમ યોજાય રહેલ છે. વિશાળ સંખ્યમાં ભાવિક ભક્તો ઘરબેઠા જ્યોતિર્લિંગના દર્શન પામી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક રમેશભાઇ જાેશીએ કરેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!