ભાણવડમાં મકાન મેળવી લેવા એકલવાયું જીવન જીવતા વૃદ્ધની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં ગત રાત્રે એક વૃદ્ધનું મકાન સસ્તા ભાવે મેળવી લેવાના ઈરાદે આ વિસ્તારમાં રહેતા એક શખ્સે છરીના ઘા ઝીકી આ વૃદ્ધની ર્નિમમ હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગેની વિગત એવી છે કે, ભાણવડમાં વેરાડ નાકા વિસ્તારમાં આવેલી કાણીયા મામા ચોક વાળી શેરીમાં રહેતા અને હાલ નિવૃત જીવન જીવતા મનસુરભાઈ કાસમભાઈ કોટડીયાના ૬૩ વર્ષના વૃદ્ધના બે સંતાનો વિદેશ સ્થાયી થયેલા છે અને તેઓ અહીં એકલવાયુ જીવન વિતાવતા હોય, તેઓનું એક બંધ મકાન ભાણવડમાં દિવડી સોસાયટી ખાતે રહેતા સલીમ મનસૂરઅલી સમનાણી નામના એક યુવાનને જાેઈતું હતું. આ મકાન સસ્તી કિંમતમાં સલીમને જાેઈતું હોવાથી અને મકાનના માલિક મનસુરભાઈ કોટડીયા તેમને કોઈપણ હિસાબે પોતાનું મકાન વેંચવા તૈયાર નહોતા. આ બાબતનું મનદુઃખ રાખી, જુમા મસ્જિદ રોડ વિસ્તારમાં રહેતા આસિકભાઈ હસનઅલી કડીવાર નામના તેમના સંબંધીના ઘર પાસે આરોપી સલીમએ મનસુરભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ સલીમે મનસુરભાઈને બિભત્સ ગાળો કાઢી, તેમના ઘરે  સ્કૂટર ઉપર જઈ અને તેના નફામાં રહેલી છરી મનસુરભાઈ કોટડીયાના શરીરમાં ઝીકી દીધી હતી. આથી લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેમને ઇમરજન્સી ૧૦૮ વાન મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત્યું પામેલા જાહેર કર્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આશિકભાઈ હસનઅલી કડીવાર(ઉ.વ.૨૭)ની ફરિયાદ ઉપરથી તેમના મોટાબાપુની હત્યા નિપજાવવા સબબ સલીમ મનસુરઅલી સમનાણી સામે મનુષ્ય વધની કલમ ૩૦૨, ૫૦૪ તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!