બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આમ્ર ઉત્સવ ઉજવાયો

0

જૂનાગઢમાં તારીખ ૫-૬-૨૦૨૨ના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આમ્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ઠાકોરજીના ત્રણેય ખંડો સમક્ષ ૪૨ પ્રકારની વિવિધ જાતની કેરીઓ જેવી કે કેસર, દૂધ પેંડો, અમૃતંગ, સિંદૂરિયો, દશેરી ધરાવવામાં આવી હતી. આ ઉપરાંત ટોમી એટકિન્સ નામે જે વિશ્વની શ્રેષ્ઠ કેરી પણ ભગવાન સમક્ષ ધરાવવામાં આવી હતી. આ દર્શનનો લાભ ભક્તો તેમજ મહાનુભવોએ લીધો હતો. સરકાર દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન એવોર્ડ દ્વારા સન્માનિત જૂનાગઢ સીટી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા પણ ખાસ દર્શનાથે તેમજ સત્સંગ સભામાં પધાર્યા હતા. તેઓનું પૂજ્ય કોઠારી સ્વામી દ્વારા હાર પહેરાવી સ્વાગત તેમજ સત્સંગ સમાજ વતી સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!