ગાંધીનગર જીલ્લા સંઘ સંયોજીત દૂધ મંડળીઓનો ‘મધુર સ્નેહ મિલન’ કાર્યક્રમ યોજાયો

0

ગાંધીનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., મધુર ડેરી, ગાંધીનગર દ્વારા ગાંધીનગર જીલ્લા સંઘ સંયોજીત દૂધ મંડળીઓનાં ચેરમેન/મંત્રી તથા મધુર પરિવારનાં કર્મચારીઓનો મધુર સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમ સંસ્થાનાં ચેરમેન ડો. શંકરસિંહ રાણાનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નિયામક મંડળનાં સભ્યો, સંઘ સંયોજીત દૂધ મંડળીઓનાં ચેરમેન-મંત્રી, મધુર ડેરીનાં મેનેજીંગ ડિરેકટર રોહીતકુમાર મહેતા તથા મધુર પરિવારનાં અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પધારેલ સર્વેને સંસ્થાનાં ચેરમેન ડો. શંકરસિંહ રાણાએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં ર્દિઘ દ્રષ્ટા એવા મધુર ડેરીનાં ચેરમેન ડો. શંકરસિંહ રાણાએ મધુર ડેરીની શરૂઆતથી લઈ આજદિન સુધીની પ્રગતીથી માહિતગાર કર્યા હતા અને દૂધ સંઘ વધુને વધુ આગળ પ્રગતી કરી, પશુપાલકની આર્થિક સ્થિતિ વધુ મજબુત બને તેવી આશા વ્યકત કરી હતી. સંસ્થાનાં મેનેજીંગ ડિરેકટર રોહિતકુમાર મહેતાએ પણ કાર્યક્રમમાં હાજર રહેલ સર્વેને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાનાં જનરલ મેનેજર હંસાબેન પટેલે કર્યું હતું અને સર્વેનો આભાર વ્યકત કર્યો હતો.

error: Content is protected !!