જૂનાગઢનાં મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકુટત્સવનો કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા અને ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો જયાં બિરાજમાન છે અને અહીં આવનારા હરીભકતો, ભાવિકોની મનોકામનાં પૂર્ણ કરે છે અને દેશ-દેશાવરનાં લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે તેવા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ગઈકાલે ઠાકોરજીની સન્મુખ ભવ્ય અન્નકુટત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરનાં ઠાકોરજીને વિવિધ પ્રકારનાં અન્નકુટ ધરાવવાની સાથે આરતી, પૂજન, મહાપૂજા સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. હજારો ભકતજનોએ આ અન્નકુટનાં દર્શન કર્યા હતા. રાધારમણ દેવ ટેમ્પલ સમિતિનાં ચેરમેન દેવનંદનસ્વામિ તથા મુખ્ય કોઠારી સ્વામિ શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજ, કોઠારી સ્વામિ પી.પી. સ્વામિ, કુંજસ્વામિ સહિતનાં સંતોનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ તેમજ હરીભકતો અને સેવગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ પ્રફુલભાઈ કાપડીયાની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!