જૂનાગઢ મનપા દ્વારા કર્મચારીનું નિવૃત વિદાયમાન યોજાયું

0

જૂનાગઢ મહાનગરપાલીકા પીઆરઓ શાખાની એક અખબારી યાદીમાં જણાવાયેલ છે કે, જૂનાગઢ મનપા કચેરી ખાતે મનપાના આસી.કમિશ્નર જયેશભાઈ વાજાના અધ્યક્ષસ્થાને પીઆરઓ શાખાના કર્મચારી પ્યુન લિલેશ મેઠીયાનો વયનિવૃતી વિદાયમાન સમારોહ આયોજીત કરવામાં આવેલ હતો.
વર્ગ-૪માં ફરજ બજાવતા લિલેશ મેઠીયાએ જુદાજુદા વિભાગો જેવા કે વોટરવર્કસ, સેક્રેટરી, શિવરાત્રી મેળો, પરિક્રમા મેળો તેમજ પીઆરઓ શાખામાં ૩૭ વૃષ સુધી ફરજ બજાવેલ છે. નીષ્ઠા અને હસમુખા સ્વભાવના તેમજ કેમ છો-જય ભગવાનજી શબ્દોથી સૌનું શાબ્દીક સ્વાગત કરનાર લિલેશ મેઠીયા મહાનગરપાલીકાના ખ્યાતિપાત્ર પ્યુન તરીકે ફરજ બજાવી માનભેર વિદાયમાન પામતા સમગ્ર મહાનગરપાલીકા સ્ટાફ દ્વારા તેઓને સન્માનીત કરી તેમને વિદાય આપવામાં આવી હતી અને હવેનું નિવૃતી બાદનું જીવન સુખાકારી ભરેલું તથા નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવેલ છે. આ અનેરા વિદાય સમારોહમાં ઉપસ્થિત સાથી કર્મચારીઓ અધિકારીઓની લાગણી જાેઈ લિલેશભાઈ મેઠીયા ભાવવિભોર થઈ ઉઠેલ. આ વિદાય સમારંભ કાર્યક્રમમાં આસી.કમિશ્નર જયેશભાઈ વાજા સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!