બીલખામાં તાજેતરમાં શહીદ થયેલ કોબ્રા કમાન્ડો શહીદ દિલીપભાઈને વીરાંજલીનો કાર્યક્રમ યોજાયો

0

તાજેતરમાં કોબ્રા કમાન્ડોની ફરજ બજાવતા ઝારેરાના વતની વિર શહીદ દિલીપભાઈ ગોવાભાઈ શીરને સલામી અને વીરાંજલી આપવા માટે અત્રેની સગર સમાજની વાડીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ વિરાંજલી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તમામ પક્ષના આગેવાનો અને ગ્રામજનો જાેડાયા હતા. આ પ્રસંગે માળીયા અને પાદરીયાના સગર સમાજના આગેવાનો પણ શ્રધ્ધાંજલી અર્પવા ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે બીલખા પીએસઆઈ ચુડાસમા, ઓમ કલાસીસના સંજયભાઈ ગોહેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વેલભાઈ પાથર,
બીલખાના ફોજી રાજુભાઈ મકવાણા વગેરેએ પ્રાસંગીક પ્રવચન આપેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હોમગાર્ડઝ કમાન્ડર અતુલભાઈ વ્યાસે કર્યુ હતું.
કાર્યક્રમનું આયોજન સમસ્ત સગર સમાજ દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે રસીકભાઈ લાલૈયા, શૈલેષભાઈ માંડાણી, રાકેશભાઈ વિરાણી, મહેશભાઈ ડોસાણી, પ્રકાશભાઈ કારેણા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!