કેશોદ તાલુકામાં સોયાબીન પાક તૈયાર થયો બજાર ભાવથી ખેડુતોમાં નારાજગી

0

ચોમાસાની સિઝનમાં ખેડુતોએ મગફળી કપાસ સોયાબીન તથા આંતર પાક તરીકે તુવેરદાળનુ વાવેતર અનેક ખેડુતોએ કર્યુ હતું ત્યારે મગફળી તુવેરદાળના ભાવ સામાન્ય જાેવા મળી રહ્યોછે ત્યારે મોંઘવારીના સમયમાં ખાતર બિયારણ જંતુનાશક દવા પિયત સહીત ખેડુતોએ સોયાબીનનું વાવેતર કરી સોયાબીનનો પાક તૈયાર થઈ રહ્યોછે ત્યારે ખેડુતોને સરેરાશ પ્રતી વિઘે પંદર મણથી વીસ મણ સુધીનુ સરેરાશ ઉત્પાદન જાેવા મળી રહ્યુછે ત્રણ સાડા ત્રણ મહિના ખેડુતોએ મહેનત કરી સોયાબીનના પાકનું ઉત્પાદન થઈ રહ્યુછે ત્યારે ખેડુતોએ કરેલ ખર્ચ મુજબ પુરતું વળતર ન મળતા ખેડૂતોમાં નારાજગી જાેવા મળી રહીછે હાલના મોંઘવારીના સમયમાં સોયાબીનના પ્રતી મણ નવસોથી હજાર જેટલો બજાર ભાવ જાેવા મળતા ખેડૂતોમાં નારાજગી જાેવા મળી રહીછે સોયાબીનનો પાક તૈયાર થતા કોઈ ખેડુતો મજુરો દ્વારા કાપણી કરી રહ્યા છે તો કોઈ ખેડુતોના ખેતરમાં સોયાબીનના પાકમાં કટર દ્વારા સોયાબીનના પાકમાં કાપણી થઈ રહીછે ખેડુતોએ કરેલ સોયાબીનના પાકમા પ્રતી વિઘે પંદર મણથી વીસ મણ સુધીનુ સરેરાશ ઉત્પાદન જાેવા મળી રહ્યુછે ત્યારે બજાર ભાવ પ્રતી મણ નવસોથી હજાર જેટલો હોય ખેડુતોએ કરેલ ખર્ચ મુજબ સોયાબીનનો ભાવ ઓછો હોવાથી ખેડુતોમાં નારાજગી જાેવા મળી રહીછે ત્યારે સરકાર દ્વારા પોષણક્ષમ ભાવે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગછે ત્યારે સોયાબીનના ભાવમાં વધારો થશે કે કેમ તે જાેવાનું રહ્યું

error: Content is protected !!