જામખંભાળીયા : પતિના દીર્ઘાયુષ્ય માટે પત્ની દ્વારા કરવા ચોથની ઉજવણી

0

સદીઓની પરંપરા વિધિ વિધાન સાથે સૌભાગ્યવતી મહિલાઓ આજે પણ નિભાવી રહી છે. કરવા ચોથની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ પુરાણોમાં છે. કરવા ચૌથ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. કરવા ચૌથ કૃષ્ણ પક્ષના ચતુર્થી તિથીના આ વ્રત રાખવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે બુધવારે મહિલાઓએ રાખ્યો હતો. પુરાણોમાં પણ આ કરવા ચોથ વ્રતનું મહત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. મહાભારત કાળમાં આ વ્રતનું વર્ણન જાેવા મળે છે. આ વ્રત સૂર્યોદય પહેલાં શરૂ થાય છે અને ચંદ્રના દર્શન કરી પૂર્ણ થાય છે.
કરવા ચોથ એક નારી પર્વ છે. આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીઓ તેમજ તે જ વર્ષે વિવાહિત થયેલી છોકરીઓ કરે છે. આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. શિવ-કાર્તિકેય અને ચંદ્રનું પૂજન પણ થાય છે. આ વ્રતમાં વ્રત કથા સાંભળવાનું વિધાન છે. તમે કોઈ પણ કથાને સાંભળશો કે વાંચશો તો ફળ તો તમને એક જેવું જ મળશે.
બહુ સમય પહેલાની વાત છે, એક વેપારીના સાત છોકરાઓ અને તેમની એક બહેન “કરવા” હતી. બધા સાત ભાઈ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલા સુધી કે પહેલા તેને જમાડ્યા પછી પોતે જમતા. એક વાર તેમની બહેન સાસરેથી પિયરમાં આવેલી હોય છે.
સાંજે જ્યારે ભાઈઓ તેમનો વેપાર વ્યવસાય બંધ કરી ઘર આવે છે તો તેમની બહેન ખૂબ જ વ્યાકુળ હતી. બધા ભાઈ જમવા બેસ્યા અને પોતાની બહેનને પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા. પણ બહેને કહ્યુ કે આજે તેનુ કરવા ચોથનું ર્નિજલ વ્રત છે. અને તે ચંદ્ર જાેઈને તેને અર્ધ્ય આપીને જ જમી શકે છે. હજુ સુધી ચંદ્ર નીકળ્યો નથી તેથી તે ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે. સૌથી નાના ભાઈથી બહેનની હાલત ન જાેવાઈ, અને તેણે દૂર પીપળાના ઝાડ પર એક દિવો સળગાવી, ચારણીની ઓટમાં મુકી દે છે. દૂરથી જાેતા એવુ લાગે છે જાણે કે ચોથનો ચંદ્ર નીકળ્યો છે.તે પછી ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચંદ્ર નીકળી ગયો છે, તુ તેને અર્ધ્ય આપીને ભોજન કરી શકે છે. બહેન ખુશ થઈને સીડી પર ચઢીને ચંદ્રને જુએ છે, અને તેને અર્ધ્ય આપીને જમવા બેસી જાય છે.
તે પહેલો ટુકડો મોઢામાં મુકવા જાય છે તો તેને છીંક આવી જાય છે. અને બીજાે ટુકડો મુકવા જાય છે તો તેમાં વાળ આવી જાય છે.અને જેમ તેમ કરીને ત્રીજાે ટુકડો મુકવા જાય છે ત્યાં તેને તેના પતિના મૃત્યુના સમાચાર મળી જાય છે. તે ગભરાઈ જાય છે કે આ દિવસે આવું કેમ થયુ. તેની ભાભીઓ તેને હકીકતની જાણ કરે છે કે કરવા ચોથનું વ્રત ખોટી રીતે તૂટ્યુ તેથી ઈશ્વરે નારાજ થઈને આ સજા આપી છે. હકીકત જાણ્યા પછી તેણે નક્કી કર્યુ કે તે પોતાના પતિના અંતિમ સંસ્કાર નહી કરે. તેને જીવતો કરીને રહેશે. તે એક વર્ષ સુધી પતિના શબ પાસે બેસી રહે છે. તેની દેખરેખ કરે છે. તેના પર ઉગનારી ઘાસને તે એકઠી કરતી જાય છે.
એક વર્ષ પછી કરવા ચોથનો દિવસ આવે છે. તેની બધી ભાભીઓ કરવા ચોથનું વ્રત રાખે છે. જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા આવે છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી ‘યમ સૂઈ લઈ લો, પિય સૂઈ દે દો, મને પણ તમારા જેવી સુહાગન બનાવી દો’ એવો આગ્રહ રાખે છે. પણ દરેક ભાભી તેને બીજી ભાભી જાેડે આવો આશીર્વાદ લેવાનો આગ્રહ કરીને જતી રહે છે.આવી રીતે જ્યાર છઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેમની પાસે પણ એ જ વાત કહેવાનો આગ્રહ રાખે છે. તે ભાભી કહે છે કે તારો સુહાગ નાના ભાઈની ભૂલને કારણે ગયો છે તો તુ તેની પાસેથી જ આ આશીર્વાદ લે અને જ્યાં સુધી તે ન માને ત્યાં સુધી છોડીશ નહી. કરવા એવું જ કરે છે. તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે પણ કરવા તેને છોડતી જ નથી, આથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળીને પોતાની નાની આંગળીને ચીરીને તેમાથી અમૃત તેના પતિના મોઢામાં નાખી દે છે. કરવાનો પતિ તરત જ શ્રીગણેશ શ્રીગણેશ કહીને ઉભો થાય છે. આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળે છે.
શ્રી ગણેશ જે રીતે કરવાને ચિર સૌભાગ્યવતીનું વરદાન મળ્યુ, તેવી જ રીતે બધી સૌભાગ્યવતીને મળે તેવા ઉમદા હેતુથી આ વ્રત રાખવામાં આવે છે. મુખ્યત્વે આ વ્રત પંજાબ તથા ઉતર ભારતમાં રાખવામાં આવે છે. આ દિવસે વિવાહિત સ્ત્રીઓ લગ્નની જેમજ સોળે શણગાર સજે છે. અને ફિલ્મોમાં આ વ્રત દેખાડવામાં આવતા અન્ય મહિલાઓ પણ આ વ્રત કરવા લાગી છે. આ દિવસે ધરમાં એક ઉત્સવનો માહોલ છવાઈ જાય છે.

error: Content is protected !!